આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કૌચા વિશે

ચોમાસામાં કવચના વેલા ફૂટીને વાડ, ઝાડ પર ચઢી જાય છે. વાલનાં પત્તાની જેમ તેના ત્રણ પત્તા સાથે હોય છે. વેલા પર ભૂરા રંગના ફૂલ બેસે છે ફૂલ અતિ સુંદર હોય છે. પછી તેમાંથી ગુચ્છાદાર શીંગો થાય છે. પછી દરેક ગુચ્છામાં ૫ થી ૧૦ શીંગો લાગે છે. તેથી શીંગો પર નાની નાની રૂંવાટી હોય છે. જે આપણા શરીરના ખુલ્લા ભાગ પર લાગવાથી ઘણી ખંજવાળ આવે છે. આ ખંજવાળને શાંત કરવા માટે છાણ ચોપડવામાં આવે છે.

કૌચા ઉપયોગ

પેટમાં કરમિયો માટે ઘણો જ સચોટ ઉપયોગ કવચનો છે. તેની શીંગો પરના કાંટા રૂંવાટા છરીથી છોલી દૂધ-ગોળ અથવા દહીંમાં ભેળવી ખવડાવી દેવાથી કરમિયા બહાર આવી જાય છે.

કૌચા ઉપયોગ

આ સિવાય ધાતુ પુષ્ટિ માટે તેનાં બી દૂધમાં બાફી શુદ્ધ કરી વપરાય છે. તેનો કૌચાપાક પણ બનાવવામાં આવે છે. તે શક્તિવર્ધક અને વીર્યવર્ધક તરીકે ઘણો લાભદાયી છે.

કૌચા ઉપયોગ

તેનું બીજું નામ ભૈરવસીંગ પણ છે. જંગલમાં કેલ્યા નામે ઓળખાતા વાંદરા આના બીજ ખૂબ ખાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન