News Continuous Bureau | Mumbai

Natural Farming: પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે સુરત જિલ્લામાં બે વર્ષમાં ૨૭૮ મોડેલ ફાર્મ તૈયાર કરાયાઃ

Natural Farming: રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક મોડલ ફાર્મ માટે રૂ.૧૩,૫૦૦ની સહાય આપવામાં આવીઃ

Natural Farming 278 model farms were prepared in Surat district in two years to promote natural farming

News Continuous Bureau | Mumbai

Natural Farming:  રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિય રીતે કાર્યરત છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવા પ્રેરિત કરવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વિસ્તૃત કરવા છેલ્લા બે વર્ષમાં કુલ ૨૭૮ મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે,જે પ્રાકૃતિક ખેતી માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે.

Join Our WhatsApp Channel


જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતિષ ગામીતના જણાવ્યા અનુાસર સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા આ પ્રોજેક્ટમાં, ઉમરપાડામાં ૩૦, ઓલપાડમાં ૩૯, કામરેજમાં ૨૩, ચોર્યાસીમાં ૧૨, પલસાણામાં ૧૮, બારડોલીમાં ૪૮, મહુવામાં ૩૧, માંગરોળમાં ૩૮ અને માંડવીમાં ૩૯ મોડલ ફાર્મ બનાવાયા છે. રાજ્ય સરકારે દરેક મોડલ ફાર્મ માટે રૂ. ૧૩,૫૦૦ની સહાય આપવામાં આવી છે, જેનાથી ખેડુતોને પ્રાકૃતિક પદ્ધતિઓ અમલમાં મૂકી પોતાનું ખેતીક્ષેત્ર વધુ ફળદ્રુપ બનાવવા પ્રોત્સાહન મળે છે.

આ સમાચાર પણ વાંચો  : Adani Wilmar Share : અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, બિઝનેસ જૂથ આ કંપનીમાં સમગ્ર હિસ્સો પાછો ખેંચશે, શેર પર શું અસર પડી? જાણો…

 


Natural Farming:  પ્રાકૃતિક પદ્ધતિથી જમીનનું આરોગ્ય જાળવવું સરળ બને છે. કીમિયાવાળાં ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વગરની આ પદ્ધતિથી પર્યાવરણ સુરક્ષિત રહે છે.પંચતસ્તરીય ખેતી દ્વારા ખેડૂતો એક સાથે વિવિધ પાક લઈ શકે છે, જેનાથી તેનાથી થતા આર્થિક લાભમાં વધારો થાય છે. મોડેલ ફાર્મના પરિણામો જોઈને અન્ય ખેડુતોને પ્રોત્સાહન મળે છે અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે છે.


રાજ્ય સરકારના આ પ્રયત્નો ખેડુતોને આવક વધારવા ઉપરાંત પર્યાવરણ જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સુરત જિલ્લાનાં આ મોડલ ફાર્મો અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Exit mobile version