Site icon News Continuous Bureau | Mumbai

52nd GST Council Meet: બરછટ અનાજમાંથી બનતી આ વસ્તુઓ હવે થશે સસ્તી, GST કાઉન્સિલે ટેક્સમાં કર્યો ઘટાડો..

52nd GST Council Meet: GST કાઉન્સિલની 52મી બેઠક આજે શનિવારે યોજાઈ રહી છે. આ કાઉન્સિલ ટોચની સંસ્થા છે જે GST દરો, સ્લેબ વગેરે અંગે નિર્ણય લે છે.

52nd GST Council Meet : Tax rate on millet-based products slashed to 5% from 18%

52nd GST Council Meet : Tax rate on millet-based products slashed to 5% from 18%

News Continuous Bureau | Mumbai 

52nd GST Council Meet: ભારત 2023ને બાજરીના ( millet ) વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. આવી સ્થિતિમાં, GST કાઉન્સિલે બરછટ અનાજને ( coarse grains )  પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GST અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થાએ બરછટ અનાજ સંબંધિત કેટલીક પ્રોડક્ટ્સ પર ટેક્સ ( Tax ) ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ કારણે આવનારા સમયમાં આવા ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થશે.

Join Our WhatsApp Channel

GST કાઉન્સિલની ( GST Council) 52મી બેઠક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (GST કાઉન્સિલ) એ GST અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. આજે નાણામંત્રી ( Finance Minister ) નિર્મલા સીતારમણની ( Nirmala Sitharaman) અધ્યક્ષતામાં કાઉન્સિલની 52મી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ( Pankaj Chaudhary ) ઉપરાંત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

GST કાઉન્સિલે આ નિર્ણય લીધો છે

બેઠક દરમિયાન, GST કાઉન્સિલે બાજરીના લોટની ખાદ્ય તૈયારીઓ પરના GST દરને વર્તમાન 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે. GST કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ અગાઉ પાઉડર મિલેટ માટે મુક્તિની ભલામણ કરી હતી.

બરછટ અનાજમાંથી બનતા ઉત્પાદનો પર GSTમાં મુક્તિ આપીને પ્રોત્સાહન આપવાની માંગ કરવામાં આવી હતી, જેને કાઉન્સિલ દ્વારા અવગણવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Canada: કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પ્લેન ક્રેશ, બે ભારતીય પાયલોટ સહિત આટલાના મોત.. જાણો હાલ કેવી છે સ્થિતિ.. વાંચો વિગતે અહીં….

સરકાર બરછટ અનાજને પ્રોત્સાહન આપી રહી છે

તમને જણાવી દઈએ કે તાજેતરમાં બાજરી એટલે કે બરછટ અનાજને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ભારત સરકાર બરછટ અનાજને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે 2023ને બાજરી વર્ષ એટલે કે બરછટ અનાજના વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. સરકાર દેશમાં બરછટ અનાજના ઉત્પાદન અને વપરાશ બંનેને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

બરછટ અનાજથી બમણો ફાયદો

એવું કહેવાય છે કે બરછટ અનાજ માત્ર લોકોના સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ તે પર્યાવરણ માટે પણ વધુ અનુકૂળ છે. બરછટ અનાજમાં ઘણા પોષક તત્વો હોય છે, જે લોકોના સ્વાસ્થ્યને સુધારે છે. ઉપરાંત, બરછટ અનાજ ઓછા પાણીમાં ઉગાડી શકાય છે અને તેને ઉગાડવા માટે રાસાયણિક ખાતરોની ઓછી જરૂર પડે છે. આ રીતે, બરછટ અનાજને પ્રોત્સાહન આપવું પર્યાવરણ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
Exit mobile version