News Continuous Bureau | Mumbai

9 years of Modi govt: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન – મોદી સરકારે આ વર્ગના લોકોને વિકાસના પ્રવાહમાં લાવ્યા

Finance Minister: Government saved Rs 2.73 lakh crore through DBT in 9 years, Finance Minister gave information.

News Continuous Bureau | Mumbai

9 years of Modi govt: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પાછલા ૯ વર્ષમાં દેશના ગરીબ, વંચિત અને શોષિત વર્ગોને વિકાસની મુખ્ય ધારામાં લાવીને સર્વસમાવેશક વિકાસનું નવું ધોરણ ઊભું કર્યું છે અને સાથે સાથે સમગ્ર વિકાસ પણ કર્યો છે.  મોદી સરકારની ૯ વર્ષની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેઓ બોલી રહ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, રાજ્યના પ્રવાસન, કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢા, રાજ્યના જનસંપર્ક મિશનના વડ ધારાસભ્ય પ્રવીણ દરેકર, રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામ વગેરે આ પ્રસંગે  ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં દેશને આતંકવાદથી મુક્ત કરનાર મોદી સરકારે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવાનું કામ કર્યું છે.

Join Our WhatsApp Channel

nirmala sitharama on nine year of modi govt

 

મોદી સરકારના ૯ મા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ આ સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપવા માટે મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા મોદી સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી. શ્રીમતી સીતારમને કહ્યું કે મોદી સરકારે છેલ્લા ૯ વર્ષમાં ગરીબ અને વંચિત વર્ગની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્વપૂર્ણ કામ કર્યું છે. ગરીબ કલ્યાણ યોજના દ્વારા ૮૦ કરોડ લોકોને મફત આનાજ/ધાન્ય આપવામાં આવી રહ્યું છે. સાથે જ ગરીબો માટે ૨.૫ કરોડ મકાનો અને ૧૧.૭૨ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ઉજ્વલા યોજના દ્વારા ૯ કરોડથી વધુ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે, આ યોજના હેઠળ સિલિન્ડર પર ₹. ૨૦૦ ની સબસિડી પણ આપવામાં આવી રહી છે. આયુષ્માન યોજનાથી ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મોદી સરકારે કરદાતાઓના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ડીબીટી સિસ્ટમ લાગુ કરી છે.

આ સમાચાર પણ વાંચો: નાની ખિસકોલી બોલ સાથે રમતી જોવા મળી, આ ક્યૂટ વિડીયો તમારો દિવસ બનાવી દેશે.

કોરોના સમયગાળા દરમિયાન, કોરોના રસીના ૨૨૦ કરોડ ડોઝ વિનામૂલ્યે આપીને રસીકરણ અભિયાન અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, વિશ્વભરમાં ફસાયેલા લાખો ભારતીયોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવામાં આવ્યા હતા. મોદી સરકાર સીરિયા, યમન, યુક્રેન જેવા દેશોમાં ફસાયેલા 20 હજારથી વધુ ભારતીયોને ભારત લાવી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે મોદી સરકારના પ્રદર્શનને કારણે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આંકડાઓ રજૂ કરતાં શ્રીમતી સીતારમણે કહ્યું કે મોદી સરકાર દરમિયાન છેલ્લા ૯ વર્ષમાં એરપોર્ટ, એક્સપ્રેસ વે, ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIMS), IITની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આંકડાઓ સાથે મહારાષ્ટ્રમાં મોદી સરકારની યોજનાઓના લાભાર્થીઓ વિશે માહિતી આપી હતી.

FSSAI Order હવે નહીં ચાલે પૅકેટ પર ‘૧૦૦% પ્યોર’નો ખેલ! FSSAIના રડાર પર ફૂડ પ્રોડક્ટ, જારી કર્યો કડક આદેશ
India Fuel Export મિડલ ઈસ્ટના તણાવનો ભારતને ફાયદો, યુરોપમાં માંગ વધતા ફ્યુઅલ નિકાસ એક વર્ષની ટોચે, રિફાઈનરીઓને જંગી ફાયદો
Tax Hikes On Petrol Diesel સરકારનો મોટો ઝટકો, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધાર્યો, જાણો સામાન્ય જનતા પર શું પડશે અસર
Rupee jumps 31 paise માર્કેટ માટે ડબલ ગુડ ન્યૂઝ, ક્રૂડ ઓઈલ ગગડતા અને ટ્રમ્પના આ એક નિર્ણયથી ડૉલર સામે મજબૂત થયો રૂપિયો
Exit mobile version