News Continuous Bureau | Mumbai

9 years of Modi govt: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન – મોદી સરકારે આ વર્ગના લોકોને વિકાસના પ્રવાહમાં લાવ્યા

Finance Minister: Government saved Rs 2.73 lakh crore through DBT in 9 years, Finance Minister gave information.

News Continuous Bureau | Mumbai

9 years of Modi govt: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પાછલા ૯ વર્ષમાં દેશના ગરીબ, વંચિત અને શોષિત વર્ગોને વિકાસની મુખ્ય ધારામાં લાવીને સર્વસમાવેશક વિકાસનું નવું ધોરણ ઊભું કર્યું છે અને સાથે સાથે સમગ્ર વિકાસ પણ કર્યો છે.  મોદી સરકારની ૯ વર્ષની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેઓ બોલી રહ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, રાજ્યના પ્રવાસન, કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢા, રાજ્યના જનસંપર્ક મિશનના વડ ધારાસભ્ય પ્રવીણ દરેકર, રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામ વગેરે આ પ્રસંગે  ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં દેશને આતંકવાદથી મુક્ત કરનાર મોદી સરકારે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવાનું કામ કર્યું છે.

Join Our WhatsApp Channel

nirmala sitharama on nine year of modi govt

 

મોદી સરકારના ૯ મા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ આ સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપવા માટે મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા મોદી સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી. શ્રીમતી સીતારમને કહ્યું કે મોદી સરકારે છેલ્લા ૯ વર્ષમાં ગરીબ અને વંચિત વર્ગની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્વપૂર્ણ કામ કર્યું છે. ગરીબ કલ્યાણ યોજના દ્વારા ૮૦ કરોડ લોકોને મફત આનાજ/ધાન્ય આપવામાં આવી રહ્યું છે. સાથે જ ગરીબો માટે ૨.૫ કરોડ મકાનો અને ૧૧.૭૨ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ઉજ્વલા યોજના દ્વારા ૯ કરોડથી વધુ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે, આ યોજના હેઠળ સિલિન્ડર પર ₹. ૨૦૦ ની સબસિડી પણ આપવામાં આવી રહી છે. આયુષ્માન યોજનાથી ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મોદી સરકારે કરદાતાઓના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ડીબીટી સિસ્ટમ લાગુ કરી છે.

આ સમાચાર પણ વાંચો: નાની ખિસકોલી બોલ સાથે રમતી જોવા મળી, આ ક્યૂટ વિડીયો તમારો દિવસ બનાવી દેશે.

કોરોના સમયગાળા દરમિયાન, કોરોના રસીના ૨૨૦ કરોડ ડોઝ વિનામૂલ્યે આપીને રસીકરણ અભિયાન અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, વિશ્વભરમાં ફસાયેલા લાખો ભારતીયોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવામાં આવ્યા હતા. મોદી સરકાર સીરિયા, યમન, યુક્રેન જેવા દેશોમાં ફસાયેલા 20 હજારથી વધુ ભારતીયોને ભારત લાવી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે મોદી સરકારના પ્રદર્શનને કારણે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આંકડાઓ રજૂ કરતાં શ્રીમતી સીતારમણે કહ્યું કે મોદી સરકાર દરમિયાન છેલ્લા ૯ વર્ષમાં એરપોર્ટ, એક્સપ્રેસ વે, ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIMS), IITની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આંકડાઓ સાથે મહારાષ્ટ્રમાં મોદી સરકારની યોજનાઓના લાભાર્થીઓ વિશે માહિતી આપી હતી.

Petrol Diesel Price Update આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ તૂટ્યા, શું આગામી દિવસોમાં પેટ્રોલડીઝલના રેટ ઘટશે? જાણો અસલી ગણિત
SpaceX Acquisition એલોન મસ્ક પણ ચોંકી ગયા! ૨૫ વર્ષના ભારતીય યુવાનના AI કરનામાએ મચાવી ધૂમ, આપ્યું ૬૦ અબજ ડોલરનું ઓફર.
India AI Mission Growth વિદેશી કંપનીઓની હવે જરૂર નહીં? જાણો ભારતને ‘આત્મનિર્ભર’ બનાવતી 4 શક્તિશાળી એઆઈ કંપનીઓ.
Edible Oil Price Drop મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટી રાહત સિંગતેલના ભાવમાં થયો ઘટાડો
Exit mobile version