Site icon

શૉકિંગ! અમદાવાદમાં મિલાવટ કરનારાં 20 ઉદ્યોગગૃહોમાંથી માત્ર આટલાં સામે જ લીધાં સરકારે પગલાં, આટલાં ગૃહો સામે કેસ પણ દાખલ કર્યા નથી, આરટીઆઇમાં બહાર આવી ચોંકાવનારી વિગત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

અમદાવાદમાં 20 ઉદ્યોગગૃહો દ્વારા ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગત આરટીઆઇમાં બહાર આવી છે. 20 ઉદ્યોગગૃહમાંથી ફક્ત 7 સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે 13 સામે હજી કાર્યવાહી ચાલી રહી હોવાનો જવાબ આપ્યો હતો. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે.

વિદેશી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી માટે દેશભરમાં વેપારીઓ લેશે આજે આ પગલું, CAITએ કરી એમેઝોનના ખાતાની ફોરેન્સિંગ ઑડિટની માગણી; જાણો વિગત

આરટીઆઇ કરનારા કાર્યકર્તાના કહેવા મુજબ અમદાવાદ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોના પૅકેટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવતી નથી. હલકી ગુણવત્તાનો સામાન વેચનારા સામે પગલાં લેવાની જવાબદારી સરકારની છે. છતાં તેના તરફ દુલર્ક્ષ કરવામાં આવી રહ્યું છે. જૂન 2020થી 2021 સુધીના સમયગાળામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં 20 ગૃહઉદ્યોગો તથા ડેરી અને પાર્લરનાં સૅમ્પલ ચેક કરવામાં આવ્યાં હતાં. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ હોવાનું જણાયું હતું.

Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.
Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
Exit mobile version