Site icon

 શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં થયો તીવ્ર વધારો, રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા અધધ આટલા કરોડ થઇ; જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

શેરબજારમાં ઉછાળાની અસર હવે રોકાણકારોની સંખ્યા પર જોવા મળી રહી છે. બજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.

બીએસઈના લેટેસ્ટ આંકડા મુજબ એક્સચેન્જમાં યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી)ની દૃષ્ટિએ એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આઠ કરોડ પર પહોંચી ગઈ છે. 

આ પૂર્વે 6 જૂન, 2021ના રોજ યુસીસીની સંખ્યા 7 કરોડની હતી અને 21 સપ્ટેમ્બરે પૂરા થયેલા માત્ર 107 દિવસમાં રોકાણકારોની સંખ્યામાં બે કરોડનો વધારો થયો છે. 

ખાસ વાત એ છે કે રોકાણકારોની સંખ્યામાં થયેલો આ સૌથી અધિક ઝડપી વધારો છે.

ઉલ્લેખનીય છે કે બીએસઈમાં 2 ફેબ્રુઆરી, 2008ના રોજ યુસીસીની સંખ્યા એક કરોડ હતી તેને બે કરોડ પર પહોંચતાં આશરે ત્રણ વર્ષ પાંચ માસ (8 જુલાઈ, 2011) લાગ્યા હતા.

લ્યો કરો વાત!! મેરઠમાં એક કાકા ને રસીના પાંચ ડોઝ લાગી ગયા.

 

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version