Site icon

મોટા સમાચાર: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

News Continuous Bureau: Mumbai

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી નું મુંબઈના પાલઘર વિસ્તારમાં રોડ એકસીડન્ટમાં મૃત્યુ થયું છે. પોલીસ વિભાગે આ એકસીડન્ટની પુષ્ટિ કરી છે. તેઓ 54 વર્ષના હતા. ઘટના સ્થળ પર મોજુદ લોકોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે એક્સિડન્ટ થયો. જ્યારે એકસીડન્ટ થયો ત્યારે એક મહિલા ગાડી ચલાવી રહી હતી. આ ઉપરાંત ગાડીમાં બેઠેલા કુલ ચાર લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે બે લોકો જીવિત છે.

Join Our WhatsApp Community

મુંબઈ થી નજીક આવેલા પાલઘર વિસ્તારમાં સુર્યા નદી ઉપર આવેલા પુલ પર ગાડી રોડ ડીવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ એકસીડન્ટ થયો જેમાં ઘટના સ્થળ પર સાયરસ મિસ્ત્રી નું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી એ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. તેમજ તેઓ ટાટા સમૂહના અધ્યક્ષ પદ સંદર્ભે ની કોર્ટની લડાઈ જીતી ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાં રતન ટાટા એ કેસ જીતી લીધો હતો.

નોંધનીય બાબત એ છે કે તેમના પિતા શાપુરજી પાલનજી નું ચાલુ વર્ષે જ નિધન થયું હતું.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Exit mobile version