Site icon

મોટા સમાચાર: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

News Continuous Bureau: Mumbai

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી નું મુંબઈના પાલઘર વિસ્તારમાં રોડ એકસીડન્ટમાં મૃત્યુ થયું છે. પોલીસ વિભાગે આ એકસીડન્ટની પુષ્ટિ કરી છે. તેઓ 54 વર્ષના હતા. ઘટના સ્થળ પર મોજુદ લોકોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે એક્સિડન્ટ થયો. જ્યારે એકસીડન્ટ થયો ત્યારે એક મહિલા ગાડી ચલાવી રહી હતી. આ ઉપરાંત ગાડીમાં બેઠેલા કુલ ચાર લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે બે લોકો જીવિત છે.

Join Our WhatsApp Community

મુંબઈ થી નજીક આવેલા પાલઘર વિસ્તારમાં સુર્યા નદી ઉપર આવેલા પુલ પર ગાડી રોડ ડીવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ એકસીડન્ટ થયો જેમાં ઘટના સ્થળ પર સાયરસ મિસ્ત્રી નું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી એ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. તેમજ તેઓ ટાટા સમૂહના અધ્યક્ષ પદ સંદર્ભે ની કોર્ટની લડાઈ જીતી ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાં રતન ટાટા એ કેસ જીતી લીધો હતો.

નોંધનીય બાબત એ છે કે તેમના પિતા શાપુરજી પાલનજી નું ચાલુ વર્ષે જ નિધન થયું હતું.

Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
Exit mobile version