News Continuous Bureau | Mumbai
નીતિ આયોગના ભૂતપૂર્વ CEO (Former CEO of Niti Aayog) અમિતાભ કાંતે (Amitabh Kant) ભારતીય ઉદ્યોગપતિઓને (Indian industrialists) સંબોધિત કરતા એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશને એક નહીં પરંતુ 10,000 અંબાણી અને 20,000 અદાણીઓની જરૂર છે. જો આવું થશે તો જ ભારત દેશ એક મહાસત્તા બની શકશે.
G-20 દેશના પ્રમુખ બનવાનું સન્માન ભારતને મળ્યું છે. તે પ્રસંગે આયોજિત બેઠકમાં ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વાત કરતાં કાંતે આ વાત કરી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને (private sector) વધુ છૂટ આપવી જોઈએ અને તેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે, 20 દેશોની આ કોન્ફરન્સ માત્ર દેશોની કોન્ફરન્સ નથી પરંતુ ઔદ્યોગિક વિકાસ (Industrial development) અને વેપાર વૃદ્ધિ માટે પણ એક મોટી તક છે. ભારતે પોતાના વિકાસ માટે આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. દેશમાં ખાનગી ઉદ્યોગોના વિકાસ વિના દેશનો વિકાસ નહીં થાય. આગામી 3 થી 4 દાયકામાં દેશનો વિકાસ દર 9 થી 10 ટકા પર રાખવો જોઈએ અને આ તક ફરીથી નહીં મળે. તેથી અનેક પડકારોનો સામનો કરીને વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો- 2000 રૂપિયાની નોટનું શું થયું- અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ- શું છે કારણ- આરટીઆઇમાં થયા અનેક ખુલાસા