Site icon News Continuous Bureau | Mumbai

અંધેર નગરી ગંડુ રાજા જેવી મહારાષ્ટ્રની હાલત : મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000 એક્ઝિબિશન કમ સેલના આયોજનથી મહારાષ્ટ્ર સરકારને કેમ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ સહિત રાજ્યમાં ત્રીજા લેવલ હેઠળના પ્રતિબંધો અમલમાં છે. એ મુજબ વીકએન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ બંધ રાખવાના હોય છે. પરંતુ સત્તાધીશોની મિલીભગતને કારણે વીકએન્ડમાં અનેક બૅન્ક્વેન્ટ હૉલ અને મોટી હૉટેલોમાં એક્ઝિબિશન કમ સેલ જેવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. બૅન્ક્વેટ હૉલના સંચાલકો લૉકડાઉનના નિયમોનો તો ભંગ કરી રહ્યા છે, સાથે જ સરકારને પણ આવા એક્ઝિબિશનને કારણે  કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે કર્યો છે.

ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે કહ્યું હતું કે હાલ મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000થી વધુ એક્ઝિબિશન કમ સેલ જેવી ઈવેન્ટ થઈ રહી છે. અમને આવા ઈવેન્ટ સામે કોઈ વાંધો નથી, પરંતુ ટૅક્સ ઑથૉરિટી દ્વારા નક્કી કરવામાં આવેલા  નિયમનું અહીં પાલન થતું નથી. બૅન્કવેટમાં રાખવામાં આવતા એક્ઝિબિશન GST  હેઠળ રજિસ્ટર ન હોવાથી તેમણે કેટલાનો વેપાર કર્યો એ વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી હોતી. એક્ઝિબિશન કમ સેલમાં સ્ટૉલવાળા બિલ બનાવતા નથી. એથી રાજ્ય સરકારને પણ કોઈ પ્રકારના ટૅક્સના માધ્યમથી આવક થતી નથી. આવા આયોજન પર સરકારની સખત નજર હોવી જરૂરી છે.

નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનના આ ચુકાદાથી બિલ્ડરની મનમાની પર આવશે લગામ; જાણો વિગત

આ બાબતે  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખવામાં આવ્યો છે એવું જણાવતાં વિરેન શાહે કહ્યું હતું કે  લેવલ-3 હેઠળ શનિવાર અને રવિવારના બૅન્કવેન્ટ હૉલમાં કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી નથી. છતાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હૉટેલોમાં આવેલા ખાનગી બૅન્કવેટમાં વીકએન્ડમાં એક્ઝિબિશન કમ સેલ મોટા ઈવેન્ટ સાથે યોજાઈ રહ્યાં છે. એમાં મોટી સંખ્યામાં ભીડ થઈ રહી છે અને કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારના નિયમનું તમામ પ્રકારના કરવેરા ચૂકવનારા વેપારીઓ ઈમાનદારીથી પાલન કરી રહ્યા છે, પરંતુ મોટી હૉટેલમાં યોજાતી આવી ઈવેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એના પ્રત્યે સરકાર દુર્લક્ષ કરી રહી છે.

IOCL refinery expansion એનર્જી સેક્ટરમાં મોટો ધડાકો ઇન્ડિયન ઓઇલ ₹75,000 કરોડના રોકાણ સાથે વધારશે રિફાઇનિંગ ક્ષમતા
E20 petrol mandate પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ કેમ નથી મળી રહ્યું? સરકારનો E20 ફ્યુઅલ અંગે મોટો ખુલાસો..
Commercial Vehicle Policy ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વાહનોને મોટી રાહત! કોમર્શિયલ વાહનો માટે ૭ વર્ષ સુધી પરમિટની જરૂર નથી, જાણો સરકારનો નવો નિર્ણય
UPI New AI Feature હવે AI દ્વારા થશે UPI પેમેન્ટ! NPCI નું નવું ફીચર, યુઝર્સ માટે ડિજિટલ લેવડદેવડ બનશે વધુ સરળ
Exit mobile version