Site icon News Continuous Bureau | Mumbai

આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર.

     રિઝર્વ બેન્કે કરેલી જાહેરાત મુજબ, આગામી રવિવાર એટલે 18 એપ્રિલે બેંકોની આરટીજીએસ (Real Time Gross settlement )સેવા 14 કલાક સુધી બંધ રહેશે.

     રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડિઝાસ્ટર રિકવરી સમયને વધુ બહેતર બનાવવા તથા ટેકનિકલ સુધારા કરવા માટે આ સુવિધા સેવા બંધ રહેશે. શનિવાર મધરાતથી રવિવારે બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે.કોઈપણ ખાતામાં બે લાખ રૂપિયાથી વધુની રકમની લેવડદેવડ કરવી હોય તો આરટીજીએસ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બે લાખ રૂપિયા સુધીના વ્યવહાર માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે રિઝર્વ બેંકના નિવેદન અનુસાર 18 એપ્રિલે NEFT સેવા પૂર્વવત ચાલુ જ રહેશે.

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

    ઉલ્લેખનીય છે કે,રિઝર્વ બેંકે સભ્ય બેંકોને 18 એપ્રિલના રાત્રે 12વાગ્યાથી 2 વાગ્યા સુધીના સમય દરમિયાન ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન સંચાલનનું આયોજન કરવા જણાવ્યું છે.

Stock Market। સેન્સેક્સમાં ૩૫૦ પોઈન્ટનો ઘટાડો રોકાણકારો માટે મુશ્કેલ સવાર, બજારની નબળી શરૂઆત
Stock Market Update| શેરબજારમાં જબરદસ્ત તેજી! સેન્સેક્સ ૩૯૦ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ૨૪,૪૦૦ ની પાર, જાણો કયા શેરોએ મચાવી ધૂમ
Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Exit mobile version