Site icon News Continuous Bureau | Mumbai

સબસીડી જોઈએ છે તો આ નિયમનું પાલન કરવું પડશે-સરકારે જાહેર કર્યો નવો નિયમ

News Continuous Bureau | Mumbai

વિવિધ સરકારી યોજનાના(Government schemes) માધ્યમથી નાગરિકોને સબસિડી(Subsidy) આપવામાં આવે છે. તેથી નાગરિકોને આ યોજનાઓનો લાભ મળે. પરંતુ હવે UIDAI દ્વારા એક પરિપત્ર(Circular) બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ(Benefit of Subsidy) લેવા માટે આધાર કાર્ડ(Aadhaar Card) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પરિપત્ર તમામ રાજ્યોને જારી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

નવા નિયમ મુજબ જો આધાર કાર્ડ ન હોય અથવા આધાર નોંધણી કરવામાં આવી ન થઈ હોય, તો આવી વ્યક્તિ અન્ય કોઈપણ દસ્તાવેજોના આધારે સબસિડીનો લાભ લઈ શકશે નહીં. જો કે, એવી માહિતી છે કે જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તે આધાર કાર્ડ માટે નોંધણી કરાવ્યા પછી નોંધણીની રસીદના આધારે સબસિડીનો લાભ મેળવી શકે છે. પરંતુ જે વ્યક્તિ પાસે આધાર કાર્ડની રસીદ નથી તેને કોઈ સબસિડી નહીં મળે.

આ સમાચાર પણ વાંચો :  PF ખાતાધારકોને આટલા લાખનો મળશે લાભ- તે માટે કરવું પડશે આ કામ

બનાવટી દસ્તાવેજોના આધારે સબસિડી મેળવતા નાગરિકો માટે સરકારે આધાર કાર્ડનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. એવું કહેવાય છે કે આનાથી યોગ્ય નાગરિકોને યોજનાઓનો લાભ મેળવવામાં મદદ મળશે. UIDAIએ કહ્યું કે આ નવો નિયમ સબસિડીમાં થતા ગેરઉપયોગ ને રોકવામાં મદદ કરશે.
 

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version