Site icon News Continuous Bureau | Mumbai

Adani Group: અદાણી ગ્રુપ આ દેશમાં એરપોર્ટ સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે; નવા એરપોર્ટના નિર્માણ અને સંચાલનની યોજના.

Adani Group: અદાણી ગ્રૂપ ભારતમાં ઘણા એરપોર્ટનું સંચાલન સંભાળે છે, પરંતુ હવે દેશની બહાર પણ એરપોર્ટ સંચાલનની યોજના બનાવી રહ્યુ છે.

Adani Group is gearing up to invest in the airport sector in this country; New airport construction and management plan.

Adani Group is gearing up to invest in the airport sector in this country; New airport construction and management plan.

News Continuous Bureau | Mumbai 

Adani Group: અદાણી ગ્રૂપ ભારત-નેપાળ સરહદ નજીક નવા એરપોર્ટના ( airport ) નિર્માણમાં રોકાણ ( investment ) કરવા અને બે મોટા એરપોર્ટનું સંચાલન સંભાળવાની યોજના બનાવી રહ્યું છે. નેપાળના ( Nepal ) નાણામંત્રી રામ શરણ મહતે બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ નેપાળમાં એરપોર્ટ અને એનર્જી સેક્ટર સહિત અનેક જાહેર ક્ષેત્રોમાં રોકાણ કરશે. 

Join Our WhatsApp Channel

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ મહિને ગુજરાતની મુલાકાત દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેનને મળ્યા બાદ નેપાળના નાણાપ્રધાન રામ શરણ મહતે ( Ram Sharan Mahat ) જણાવ્યું હતું કે, ‘ગૌતમ અદાણીએ ( Gautam Adani ) નેપાળમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તે ખાસ કરીને એનર્જી સેક્ટર અને એરપોર્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં રોકાણ કરવા માંગે છે.

એક અહેવાલમાં મુજબ, અદાણીએ ભૈરવાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય ઘણા મેનેજમેન્ટનું સંચાલન સંભાળવાની યોજના બનાવી છે. નેપાળના નાણામંત્રીએ કહ્યું, “મેં ગૌતમ અદાણીને આ વર્ષે એપ્રિલમાં યોજાનારી ‘નેપાળ ઇન્વેસ્ટ સમિટ’માં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે તેઓ સમિટમાં ભાગ લેવા માટે પ્રયાસ કરશે.

અદાણી ગ્રુપની એક ટીમે તાજેતરમાં કાઠમંડુની ( Kathmandu )  મુલાકાત લીધી હતી

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા અને કાઠમંડુમાં ભૈરવ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તરણ કરવું, ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને અન્ય એરપોર્ટનું સંચાલન સંભાળવામાં રસ દાખવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Telangana: તેલંગાણામાં ACBનો દરોડો.. 100 કરોડનો ‘ખજાનો’, 40 લાખ રોકડા, બે કિલો સોનું… નોટો ગણીને થાકી ગયા અધિકારીઓ, જાણો કોણ છે આ કાળા નાણાનો ‘કુબેર’?

મહતે જણાવ્યું હતું કે, ‘અદાણી ગ્રુપની એક ટીમે તાજેતરમાં કાઠમંડુની મુલાકાત લીધી હતી અને નેપાળના સિવિલ એવિએશન ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી હતી અને નેપાળના એરપોર્ટ સેક્ટરમાં રોકાણની શક્યતાઓ વિશે ચર્ચા કરી હતી.

અહેવાલમાં જણાવ્યું હતું કે નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુદાન કિરાતીએ જણાવ્યું હતું કે સરકાર ત્રણેય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ચલાવવા અને નિજગઢમાં નવું એરપોર્ટ બનાવવા માટે પેકેજ તૈયાર કરવા માટે અભ્યાસ કરી રહી છે. અદાણી ગ્રૂપ ભારતમાં ઘણા એરપોર્ટનું સંચાલન સંભાળે છે, પરંતુ નેપાળમાં ભારતની બહાર જૂથનું આ પહેલું રોકાણ હશે.

(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. .)

US Extends 100K H1B Visa Fee Order અમેરિકન ડ્રીમ પર ફરી ગ્રહણ! H1B વિઝા ધારકો પર $૧ લાખની આકરી ફીની મુદત લંબાવાતાં ભારતીય ટેક પ્રોફેશનલ્સમાં સન્નાટો
Trump Tariff on India મોસ્કો પાસેથી સસ્તું તેલ ખરીદવું ભારતને ભારે પડશે? ટ્રમ્પના આકરા હસ્તાક્ષર સાથે ભારતીય ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ નું એલાન
US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Exit mobile version