Site icon

ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા ભારતના પાડોશી શ્રીલંકાને ગયા વર્ષે જ નાદાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી શ્રીલંકાની સરકાર દેશમાં નવા રોકાણને આકર્ષવા માટે ઝઝૂમી રહી છે

Adani Power to Adani Enterprises: Adani shares extend sell off for second straight session

Adani Power to Adani Enterprises: Adani shares extend sell off for second straight session

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટનો સામનો કરી રહેલા ભારતના પાડોશી શ્રીલંકાને ગયા વર્ષે જ નાદાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી શ્રીલંકાની સરકાર દેશમાં નવા રોકાણને આકર્ષવા માટે ઝઝૂમી રહી છે. દરમિયાન શ્રીલંકા માટે ભારત તરફથી સારા સમાચાર આવ્યા છે. નાદાર જાહેર થયા બાદ શ્રીલંકામાં પ્રથમ રોકાણ ભારતમાંથી આવ્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ રોકાણકાર બીજું કોઈ નહીં પણ ભારતીય દિગ્ગજ અદાણી ગ્રૂપ છે, જે હિંડનબર્ગના ખુલાસા પછી ડગમગી ગયું છે. અદાણી ગ્રૂપને 442 મિલિયન ડોલરના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે મંજૂરી મળી છે. આ ડીલ મુજબ, અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન એનર્જી શ્રીલંકાના ઉત્તરમાં બે વિન્ડ ફાર્મ સ્થાપશે.

Join Our WhatsApp Community

શ્રીલંકાના બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી જૂથનું કુલ રોકાણ $442 મિલિયન છે. આ બે વિન્ડ એનર્જી પ્લાન્ટ “2025 સુધીમાં” રાષ્ટ્રીય ગ્રીડને વીજળી પૂરી પાડશે. 2021માં કોલંબોમાં અદાણીને $700 મિલિયનનો વ્યૂહાત્મક પોર્ટ ટર્મિનલ પ્રોજેક્ટ મળ્યા પછી આ પ્રોજેક્ટ શ્રીલંકાનો બીજો મોટો પ્રોજેક્ટ છે.

ચીન કરતાં ભારતને આપી પ્રાથમિકતા

શ્રીલંકામાં ચીનનો પ્રભાવ ઘણો જૂનો છે. પરંતુ આ સોદાને આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત માટે મોટા વ્યૂહાત્મક લાભ તરીકે જોવામાં આવે છે. અદાણી ગ્રૂપ કોલંબો હાર્બરમાં ચાઈનીઝ સંચાલિત ટર્મિનલની બાજુમાં 1.4-km, 20-મીટર ઊંડી જેટી બનાવી રહ્યું છે. દુબઈ અને સિંગાપોર વચ્ચે આ એકમાત્ર ડીપ સી કન્ટેનર પોર્ટ છે.

પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે

શ્રીલંકાના ઉર્જા મંત્રી કંચના વિજેસેકરાએ જણાવ્યું કે તેઓ વિન્ડ એનર્જી પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે બુધવારે કોલંબોમાં અદાણીના અધિકારીઓને મળ્યા હતા. તેમણે ઉમેર્યું, “અમે આશા રાખીએ છીએ કે પાવર પ્લાન્ટ ડિસેમ્બર 2024 સુધીમાં ચાલુ થઈ જશે.”

આ સમાચાર પણ વાંચો : પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ

હાલમાં અદાણી જૂથ મુશ્કેલીમાં છે

શ્રીલંકામાં રોકાણની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અદાણી જૂથ છેલ્લા એક મહિનાથી યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હિંડનબર્ગના આરોપોને કારણે સંકટમાં છે. હિંડનબર્ગે અદાણીની કંપનીઓ પર એકાઉન્ટિંગમાં છેતરપિંડી અને કિંમતમાં હેરાફેરીનો આરોપ મૂક્યો છે. ત્યારથી જૂથની માર્કેટ મૂડીમાં $120 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.

આ વિન્ડ ફાર્મની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેની પાલ્ક સ્ટ્રેટમાં આવેલા ટાપુઓ પર ત્રણ વિન્ડ ફાર્મ બનાવવા માટે ચીનની કંપનીઓને $12 મિલિયનનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ભારતે ભારતીય સરહદ નજીક આ બાંધકામ સામે વાંધો ઉઠાવ્યા બાદ તેને રદ કરવામાં આવ્યો હતો.

India Chabahar Port Decision 2026: શું ભારત પાછું હટ્યું? ચાબહાર બંદર માટે બજેટમાં શૂન્ય ફાળવણી, અમેરિકાનું દબાણ કે વ્યૂહાત્મક ફેરફાર? જાણો અંદરની વાત
Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર યુ-ટર્ન કડાકા બાદ ફરી ભાવ વધ્યા; જાણો આજનો લેટેસ્ટ રેટ
Father of All Deals: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી, હવે ટેક્સ વગર થશે $40 અબજનો વેપાર.
Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક બ્લાસ્ટ! અમેરિકાના એક નિર્ણયે કિંમતો આસમાને પહોંચાડી, જાણો આજનો ભાવ
Exit mobile version