Site icon

Adani Vizhinjam Port: અદાણીનું નવું બંદર, કેરળ પોર્ટ! આટલા હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ, જાણો શું છે આ નવા પોર્ટની ખાસિયત..

Adani Vizhinjam Port: મુંદ્રા પોર્ટ બાદ ગૌતમ અદાણી ભારતના અન્ય મોટા પોર્ટ પર જોરશોરથી કામ કરી રહ્યા છે. આ બંદર કેરળમાં બની રહ્યું છે અને તેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Adani's new port Kerala Port! 20 thousand crore rupees will be invested

Adani's new port Kerala Port! 20 thousand crore rupees will be invested

News Continuous Bureau | Mumbai 

Adani Vizhinjam Port: મુંદ્રા પોર્ટ બાદ ગૌતમ અદાણી (Gautam Adani) ભારત (India) ના અન્ય મોટા પોર્ટ પર જોરશોરથી કામ કરી રહ્યા છે. આ બંદર કેરળ (Kerala) માં બની રહ્યું છે અને તેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. એકવાર આ પોર્ટ તૈયાર થઈ જાય પછી તે અદાણી ગ્રુપને એક નવું પ્રોત્સાહન પૂરું પાડશે.

Join Our WhatsApp Community

એક સમાચાર મુજબ અદાણી ગ્રુપ આ પોર્ટ(Adani port) પર જોરશોરથી કામ કરી રહ્યું છે. તેને વહેલી તકે પૂર્ણ કરવાની યોજના છે. આ માટે અદાણી કેરળના વિઝિંગમમાં બની રહેલા પોર્ટ પર 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ 2030 સુધીમાં કેરળના વિઝિંગમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ ખાતે કરવામાં આવશે. અદાણી પોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીને ટાંકીને અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Varanasi : ઉત્તર રેલવે વારાણસી યાર્ડ સમયમર્યાદા પહેલાં મોડેલિંગ કાર્ય પૂર્ણ..

વિઝિંજમ એ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ…..

ટર્મિનલને સત્તાવાર રીતે ગયા અઠવાડિયે તેનું પ્રથમ જહાજ મળ્યું હતું. ઝેન હુઆ 15 નામનું આ જહાજ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આવકાર્યું હતું. પોર્ટના નિર્માણ માટે આ ક્રેન વહન જહાજ મંગાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કેરળમાં અદાણી જૂથનું આ પોર્ટ આવતા વર્ષે મે અને ડિસેમ્બર વચ્ચે કામગીરી શરૂ કરશે.

અહેવાલમાં અદાણી વિઝિંજમ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ રાજેશ ઝાને ટાંકીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને પ્રથમ તબક્કામાં રૂ. 7,700 કરોડનું રોકાણ મળ્યું છે. તેમાં અદાણીના રૂ. 2,500 થી 3000 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. બાકીનું રોકાણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવી રહ્યું છે. અદાણી વિઝિંજમ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કેરળમાં સ્થિત આ પોર્ટનું નિર્માણ કરી રહી છે.

કેરળના વિઝિંજમમાં બની રહેલું આ બંદર અનેક રીતે મહત્ત્વનું છે. આ પોર્ટ પૂર્ણ થવાથી શ્રીલંકાના કોલંબો પોર્ટ જેવા વિદેશી ટ્રાન્સશિપમેન્ટ હબ પર ભારતની નિર્ભરતા ઓછી થશે. શ્રીલંકાના કોલંબો પોર્ટમાં ચીની કંપનીઓની મહત્વની ભૂમિકા છે. આ રીતે ચીન પર નિર્ભરતા ઓછી થશે. વિઝિંજમ એ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે 18 મીટરથી વધુની કુદરતી ઊંડાઈ ધરાવે છે. મોટા જહાજોને કિનારે લાવવા માટે આ જરૂરી છે. તે આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગથી માત્ર 10 નોટિકલ માઇલ દૂર છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version