Site icon News Continuous Bureau | Mumbai

Air India-Vistara Merger: વિસ્તારા થઈ જશે બંધ, આ એરલાઇન સાથે મર્જરને NCLTએ આપી લીલી ઝંડી..

Air India-Vistara Merger: એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જર પછી, સંયુક્ત કંપની દેશભરમાં સૌથી મોટું એર નેટવર્ક ધરાવશે, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટનો સમાવેશ થશે. ટાટા ગ્રૂપ દ્વારા નિયંત્રિત બે એરલાઇન્સના મર્જરની જાહેરાત નવેમ્બર 2022માં કરવામાં આવી હતી.

Air India-Vistara Merger NCLT approves Air India-Vistara merger; Vistara will be dissolved within 9 months

Air India-Vistara Merger NCLT approves Air India-Vistara merger; Vistara will be dissolved within 9 months

News Continuous Bureau | Mumbai 

Air India-Vistara Merger: વિશ્વના સૌથી મોટા એરલાઈન જૂથોમાંના એકની રચનાનો માર્ગ મોકળો થયો છે.  નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ વિલીનીકરણ બાદ દેશની બંને મોટી એરલાઈન્સની સંયુક્ત કામગીરી શરૂ થશે, જેનાથી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાની આશા છે. જો કે, સંયુક્ત કંપનીના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.  જણાવી દઈએ કે વિસ્તારા, ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે.

Join Our WhatsApp Channel

Air India-Vistara Merger: NCLTએ  મર્જરને શરૂ કરવાની મંજૂરી આપી 

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની ચંદીગઢ બેન્ચે ટાટા ગ્રૂપની બંને ઉડ્ડયન કંપનીઓના નેટવર્ક, કર્મચારીઓ અને એરક્રાફ્ટ ફ્લીટના મર્જરને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે વિસ્તારાના એર ઈન્ડિયા સાથે વિલીનીકરણના માર્ગમાંનો મોટો અવરોધ દૂર થઈ ગયો છે. એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જર પછી, સંયુક્ત કંપની દેશભરમાં સૌથી મોટું એર નેટવર્ક ધરાવશે, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટનો સમાવેશ થશે. 

Air India-Vistara Merger: બે એરલાઇન્સના મર્જરની જાહેરાત નવેમ્બર 2022માં કરવામાં આવી

મહત્વનું છે કે ટાટા ગ્રૂપ દ્વારા નિયંત્રિત બે એરલાઇન્સના મર્જરની જાહેરાત નવેમ્બર 2022માં કરવામાં આવી હતી. સોદો પૂરો થયા બાદ સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે. માર્ચમાં, સિંગાપોરના સ્પર્ધા નિયમનકાર CCCS એ પ્રસ્તાવિત મર્જરને શરતી મંજૂરી આપી હતી. સપ્ટેમ્બર 2023 માં, આ સોદાને કેટલીક શરતો હેઠળ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) તરફથી મંજૂરી પણ મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  RBI Repo Rate: સસ્તી હોમ લોનની આશાઓ પર ફરી એકવાર પાણી ફર્યું, RBIએ રેપો રેટમાં ફેરફારને લઈને લીધો આ નિર્ણય.

જણાવી દઈએ કે આ પહેલા, આ મર્જરની દરખાસ્તને ગયા વર્ષે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCI તરફથી મંજૂરી મળી ચૂકી છે. CCIએ સપ્ટેમ્બર 2023માં આ મર્જરને મંજૂરી આપી હતી. સિંગાપોરના સ્પર્ધા નિયમનકાર દ્વારા પણ મર્જરને મંજૂરી આપવામાં આવી છે. તેમણે આ વર્ષે માર્ચમાં ડીલને મંજૂરી આપી હતી.

Air India-Vistara Merger: વિસ્તારાએ 9 વર્ષ પહેલા કોમર્શિયલ કામગીરી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે વિસ્તારાએ લગભગ 9 વર્ષ પહેલા જાન્યુઆરી 2015માં તેની કોમર્શિયલ કામગીરી શરૂ કરી હતી. વિસ્તારાની ગણતરી હાલમાં ભારતની અગ્રણી ઉડ્ડયન કંપનીઓમાં થાય છે. ટાટા ગ્રુપે સરકાર પાસેથી હસ્તગત કર્યા બાદ વિસ્તારાને એર ઈન્ડિયામાં મર્જ કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી. જૂથ બંને ઉડ્ડયન કંપનીઓને મર્જ કરીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન બજારમાં મજબૂત કંપની બનાવવા માંગે છે.

વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ નવેમ્બર 2022માં જાહેર કરવામાં આવ્યો હતો. સીસીઆઈ બાદ એનસીએલટીની મંજૂરી મળ્યા બાદ આ પ્રક્રિયા ઝડપી થવાની આશા છે. ટાટા ગ્રુપ આગામી 9 મહિનામાં આ ડીલ પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. આનો અર્થ એ થયો કે આગામી 9 મહિનામાં વિસ્તારાની સ્વતંત્ર કામગીરી બંધ થઈ જશે અને તે એર ઈન્ડિયાનો એક ભાગ બની જશે.

Air India-Vistara Merger: આ રીતે મર્જર બાદ શેરનું વિભાજન થશે

વિસ્તારા હાલમાં ટાટા SIA એરલાઇન્સ લિમિટેડના નામે કંપની તરીકે નોંધાયેલ છે. ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 49 ટકા હિસ્સો સિંગાપોર એરલાઈન્સ લિમિટેડ પાસે છે. મર્જરની દરખાસ્ત મુજબ, ટાટા ગ્રૂપ ઉભરી આવનારી નવી કંપનીમાં 74.9 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે સિંગાપોર એરલાઇન્સ 25.1 ટકા હિસ્સો ધરાવશે.

 

 

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
First Resignation In 12 Years Of Modi Government સીએએથી લઈને કિસાન આંદોલન સુધી… મોદી સરકારના ૧૨ વર્ષના ઇતિહાસમાં પહેલું રાજીનામું, ભારે હોબાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાને છોડવું પડ્યું પદ
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Exit mobile version