Site icon

Airtelનો આ છે સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સીમ કાર્ડ રહેશે એક્ટીવ, મળશે આ સુવિધા..

News Continuous Bureau | Mumbai

ટેલિકોમ કંપની (Telecom company) ઓ હવે તેમના પોર્ટફોલિયોમાં (portfolio) ખાસ રિચાર્જ પ્લાન (Recharge plan) ધરાવે છે. આ રિચાર્જ પ્લાન TRAIના આદેશ બાદ ઉમેરવામાં આવ્યો છે, જે 30 દિવસની નહીં પણ એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. એટલે કે મહિનો 30 દિવસનો હોય કે 31 દિવસનો, તમને આખા મહિના દરમિયાન ટેલિકોમ સેવાઓનો (Telecom Services) લાભ મળતો રહેશે.

Join Our WhatsApp Community

આવા કેટલાક પ્લાન એરટેલના પોર્ટફોલિયોમાં પણ છે, જેમાં યુઝર્સને આખા મહિના માટે ટેલિકોમ સર્વિસ મળે છે. જો તમને આવું રિચાર્જ જોઈએ છે તો એરટેલના (Airtel) પોર્ટફોલિયોમાં બે રિચાર્જ પ્લાન છે. બંને રિચાર્જ પ્લાનની કિંમત અને ફાયદામાં ઘણો તફાવત છે. ચાલો જાણીએ આ યોજનાઓની વિગતો.

319 રૂપિયાનો રિચાર્જ પ્લાન

એરટેલનો 319 રૂપિયાનો રિચાર્જ પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ સિવાય યુઝર્સને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલનો લાભ મળે છે. આ સાથે યુઝર્સને દરરોજ 100 SMS મળશે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ

આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે

બીજી તરફ, એક મહિનાની વેલિડિટી (Months of validity) સાથેના સૌથી સસ્તા એરટેલ રિચાર્જ પ્લાનની વાત કરીએ તો, કંપનીના પોર્ટફોલિયોમાં 111 રૂપિયાનો પ્લાન સામેલ છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને એક મહિનાની વેલિડિટી માટે 99 રૂપિયાનો ટોક ટાઈમ, 200MB ડેટા મળી રહ્યો છે. રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળતો નથી.

આ પ્લાન હેઠળ યુઝર્સને 2.5 પૈસા/સેકન્ડના દરે લોકલ અને STD કોલિંગ મળે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને અન્ય લાભો નથી મળતા. પરંતુ સિમને એક્ટિવ રાખવા માટે આ એરટેલનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે.

Campa Cola: કોલ્ડ ડ્રિંક્સનો કિંગ કોણ? કેમ્પા કોલાની તાકાત સામે કોક-પેપ્સીનું સામ્રાજ્ય જોખમમાં, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.
PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
Exit mobile version