Site icon News Continuous Bureau | Mumbai

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ

સીઈઓ એન્ડી જેસીના મતે, કર્મચારીઓની મોટી સંખ્યાને કારણે નિર્ણય પ્રક્રિયા ધીમી પડી હતી, AI નહીં પણ કોર્પોરેટ પુનર્ગઠન મુખ્ય કારણ.

Amazon Layoffs એમેઝોન લે-ઓફ કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ

Amazon Layoffs એમેઝોન લે-ઓફ કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ

News Continuous Bureau | Mumbai

Amazon Layoffs એમેઝોન કંપનીએ તાજેતરમાં લગભગ ૧૪,૦૦૦ કોર્પોરેટ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીના કહેવા મુજબ, કંપનીએ આ પગલું કૃત્રિમ બુદ્ધિમત્તાના (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ઉપયોગને કારણે કર્મચારીઓની જરૂરિયાત ઓછી થવાને લીધે નહીં, પરંતુ કોર્પોરેટ કારણોસર લીધું છે. તેમનું કહેવું છે કે સિસ્ટમને ફરીથી ગોઠવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છટણી આગળ જતાં ૩૦,૦૦૦ કર્મચારીઓ સુધી પહોંચી શકે છે.

Join Our WhatsApp Channel

નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગતિ લાવવાનો હેતુ

જેસીએ સ્પષ્ટ કર્યું કે કંપનીની કોર્પોરેટ સંસ્કૃતિમાં ફરી બદલાવ લાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન કોર્પોરેટ કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ હતી. જેના કારણે નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી, અને હવે તેના પર નિયંત્રણ રાખવું જરૂરી હતું. તેમણે એવું પણ કહ્યું કે જેમ જેમ કદ વધતું જાય છે, તેમ તેમ કર્મચારીઓ ક્યારેક માલિકીની ભાવના ગુમાવે છે. તેમના મતે, કર્મચારીઓની છટણી દ્વારા મધ્યમ વ્યવસ્થાપન ઘટાડવાથી નિર્ણય લેવામાં ગતિ આવશે અને ઉદ્યોગસાહસિકતા વધશે. જેસીએ મંત્ર આપ્યો છે કે એમેઝોને દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપ ની જેમ કામ કરવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : LIC Trophy: LIC ટ્રોફી ૨૦૨૫: મુંબઈમાં ૫ નવેમ્બરથી દિવ્યાંગો માટે T20 ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ

ટેક્નોલોજી પર રોકાણ વધારવાની શક્યતા

આ કર્મચારીઓની છટણી કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછી ૨૦૨૨-૨૦૨૩ માં એમેઝોન દ્વારા ૨૭,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદની સૌથી મોટી છટણી છે. આ છટણી કંપનીના ૩,૫૦,૦૦૦ કોર્પોરેટ કર્મચારીઓમાંથી લગભગ ૪% છે. કંપની સ્વયંસંચાલિત કાર્યપ્રણાલી લાગુ કરીને સામાનના પેકિંગ માટે રોબોટ બેસાડી રહી છે. આનાથી આગામી બે વર્ષમાં કંપનીના ૧ લાખ કરોડ રૂપિયા બચશે. આગામી સમયમાં કંપનીનું ૭૫ ટકા કામ સ્વયંસંચાલિત થવાની શક્યતા છે. આ રોબોટ્સ કામ કરી શકે તે માટે કંપનીએ નવા પ્રકારના ગોદામો પણ બનાવ્યા છે. આથી, નવી રોકાણ ટેક્નોલોજીમાં થવાની શક્યતા છે, પરંતુ કોર્પોરેટ કામ કરનારાઓને કંપનીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત
Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
Exit mobile version