Site icon News Continuous Bureau | Mumbai

Anil Ambani R Com: અનિલ અંબાણીને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, હવે આ બેંકે રિલાયન્સ પર લગાવ્યું ‘ફ્રોડ’નું ટેગ, જાણો સમગ્ર મામલો

Anil Ambani R Com: કેનેરા બેંકે અનિલ અંબાણીના રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આર કોમ) અને તેની સહયોગી કંપનીઓ, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના લોન ખાતાઓને છેતરપિંડી ખાતા તરીકે જાહેર કર્યા છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઓડિટમાં છેતરપિંડીના પુરાવા મળ્યા હતા, જેના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

Anil Ambani R Com Anil Ambani's Reliance Communications Gets Fraud Notice From Canara Bank For Loan Misuse

Anil Ambani R Com Anil Ambani's Reliance Communications Gets Fraud Notice From Canara Bank For Loan Misuse

News Continuous Bureau | Mumbai

Anil Ambani R Com: ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લઇ રહી નથી. હવે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનને વધુ એક ઝટકો આપ્યો છે. કેનેરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડને છેતરપિંડી ખાતા તરીકે જાહેર કર્યા છે. કેનેરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ જારી કરી છે અને તેના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે.

Join Our WhatsApp Channel

Anil Ambani R Com: રિલાયન્સ કોમ્યુનિકેશન્સના લોન એકાઉન્ટ્સે છેતરપિંડી જાહેર કરી

મીડિયા રિપોર્ટ અનુસાર, કેનેરા બેંકે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને તેની સહાયક કંપનીઓના લોન ખાતાઓને છેતરપિંડી તરીકે જાહેર કર્યા છે. આમ કરનાર આ ચોથો ધિરાણકર્તા છે. અગાઉ ડિસેમ્બર 2020માં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે કંપનીના ખાતાઓને છેતરપિંડી તરીકે જાહેર કર્યા હતા.

Anil Ambani R Com: શું છે સમગ્ર મામલો

ગત 28 ઓક્ટોબરના રોજ કેનેરા બેંક દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ આપવામાં આવી હતી અને 5 નવેમ્બરના રોજ રિલાયન્સ કોમ્યુનિકેશનને કેનેરા બેંક તરફથી મોકલવામાં આવેલ પત્ર મળ્યો હતો. શુક્રવાર, 16 નવેમ્બરના રોજ, કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી કે તેને કેનેરા બેંક તરફથી તેના ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવા માટે એક પત્ર મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Reliance Power share: અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, રિલાયન્સ પાવર પર લાગી 5% લોઅર સર્કિટ, જાણો કારણ..

Anil Ambani R Com: ઓડિટમાં છેતરપિંડીના પુરાવા મળ્યા

આ પત્રમાં ત્રણેય કંપનીઓના ઓડિટ બાદ મળેલા છેતરપિંડીના પુરાવાના આધારે લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. તે જણાવે છે કે આરકોમે માત્ર રિ-પેમેન્ટમાં ડિફોલ્ટ જ નથી કર્યું, પરંતુ મંજૂરીની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ઓડિટ મુજબ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની પેટાકંપનીઓ – રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલે વિવિધ બેંકો પાસેથી સામૂહિક રીતે રૂ. 31,580 કરોડની લોન લીધી હતી. માર્ચ 2017માં, કંપનીએ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી હતી અને લોનની સાથે ગેરંટી પત્રો પણ સામેલ કર્યા હતા, જે બેંકની લોનની ચુકવણીના નિયમો અને શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. બેંકે આરકોમ અને કંપનીને નકલી દેવાદારોના નાણાં માફ કરવા અને વેચાણ ઈનવોઈસ ફંડિંગનો દુરુપયોગ કરવા માટે પણ દોષિત ઠેરવ્યા છે.

મહત્વનું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પહેલેથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કંપની હાલમાં નાદારીની પ્રક્રિયામાં છે અને તેણે હજુ સુધી આ નોટિસનો જવાબ આપ્યો નથી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Meta AI Failure AI પર ભરોસો કરવો મોંઘો પડ્યો! ૬૦ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાની મેટાની યોજના થઈ ગઈ ફેલ; જાણો કારણ
Richer Than India But Weaker Currency અમીરીમાં ટોપ, પણ કરન્સીમાં ફ્લોપ જાણો કયા દેશોની કરન્સી ભારતીય રૂપિયા સામે પાણી ભરે છે!
Exit mobile version