Site icon News Continuous Bureau | Mumbai

Anil Ambani : બસ 10 દિવસનો સમય આપો.. કંપની વેચવા અનિલ અંબાણીએ રિઝર્વ બેન્ક પાસે કરી આજીજી.. જાણો શું છે કારણ..

Anil Ambani : ગત 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતી વખતે, NCLTએ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને તેને 90 દિવસની અંદર અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો. જો આરબીઆઈ સમયમર્યાદા લંબાવવાની વિનંતીને સ્વીકારશે નહીં, તો હિન્દુજા ગ્રૂપ પાસે રિઝોલ્યુશન પ્લાન પૂર્ણ કરવા અને RCAPની સંપત્તિઓ પર કબજો કરવા માટે સમય બાકી રહેશે નહીં.

Anil Ambani Reliance Capital seeks 10-day extension to transfer assets to Hinduja group

Anil Ambani Reliance Capital seeks 10-day extension to transfer assets to Hinduja group

News Continuous Bureau | Mumbai

Anil Ambani : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી, જેઓ એક સમયે વિશ્વના છઠ્ઠા સૌથી અમીર લોકોમાં સામેલ હતા, તેઓ આજે દેવાના એટલા બોજાથી દબાયેલા છે કે એક પછી એક કંપની તેમના હાથમાંથી સરકી રહી છે. જે કંપનીમાંથી તેણે ભરપૂર નફો મેળવ્યો, તેને વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક વ્યક્તિ બનાવ્યો, શેરબજારમાં તેની પ્રતિષ્ઠા વધારી, હવે તે કંપની પણ તેના હાથમાંથી જવાની છે. અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ હવે હિન્દુજા ગ્રુપના હાથમાં જઈ રહી છે.

Join Our WhatsApp Channel

Anil Ambani :રિલાયન્સ કેપિટલએ 10 દિવસનો માંગ્યો સમય

જોકે હવે અહેવાલ છે કે રિલાયન્સ કેપિટલના ખરીદનાર હિન્દુજા ગ્રૂપને એક્વિઝિશન પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. કારણ કે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને અપીલ કરી છે અને 10 દિવસનો સમય માંગ્યો છે. રિપોર્ટ મુજબ રિલાયન્સ કેપિટલે હિંદુજા ગ્રુપની કંપનીને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આ સમય માંગ્યો છે.

 Anil Ambani : RBI પાસેથી 27 મે સુધીનો સમય માંગ્યો

રિલાયન્સ કેપિટલની સંપત્તિ હિન્દુજા ગ્રુપની કંપનીને ટ્રાન્સફર કરવાની સમય મર્યાદા શુક્રવાર સુધી હતી. દેશની સેન્ટ્રલ બેંકે 17 નવેમ્બર 2023ના રોજ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી માત્ર 6 મહિના માટે માન્ય હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર હવે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે RBI પાસેથી 27 મે સુધીનો સમય માંગ્યો છે. સંપત્તિના સ્થાનાંતરણ પછી, રિલાયન્સ કેપિટલ સંપૂર્ણપણે હિન્દુજા જૂથની રહેશે.

આ સમાચાર પણ વાંચો: Kanhaiya Kumar attack: દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, માળા પહેરાવી ફેંકી કાળી શાહી, મારી થપ્પડ; જુઓ વિડીયો

Anil Ambani :સોલ્યુશન પ્લાન 27મી ફેબ્રુઆરીએ મંજૂર કરવામાં આવ્યો

નોંધનીય છે કે NCLTના આદેશ મુજબ હિન્દુજા ગ્રૂપની કંપની માટે રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવાની અંતિમ તારીખ પણ 27મી મે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને 27 મે સુધીમાં રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Anil Ambani :IRDA એ રિલાયન્સ કેપિટલના એક્વિઝિશનને પણ મંજૂરી આપી હતી

NCLTએ હિન્દુજા ગ્રુપની કંપની IndusInd International Holdings Limitedની રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. તાજેતરમાં, IRDAI એ અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટે હિન્દુજા ગ્રૂપની કંપનીની બિડને પણ મંજૂરી આપી છે.

Anil Ambani :રિલાયન્સ કેપિટલ પર આટલું દેવું

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કેપિટલ માટે બિડનું આમંત્રણ ફેબ્રુઆરી 2022માં જારી કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ચાર કંપનીઓ રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા આગળ આવી હતી, પરંતુ ઓછી બિડને કારણે ધિરાણકર્તા જૂથે તેને નકારી કાઢી હતી. બાદમાં હિન્દુજા ગ્રૂપ અને ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટે ફરીથી બિડ સબમિટ કરી, જેમાં હિંદુજા ગ્રૂપની બિડને મંજૂરી આપવામાં આવી. આ કંપની પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે.

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version