Site icon

શૉકિંગ! અમદાવાદમાં મિલાવટ કરનારાં 20 ઉદ્યોગગૃહોમાંથી માત્ર આટલાં સામે જ લીધાં સરકારે પગલાં, આટલાં ગૃહો સામે કેસ પણ દાખલ કર્યા નથી, આરટીઆઇમાં બહાર આવી ચોંકાવનારી વિગત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

અમદાવાદમાં 20 ઉદ્યોગગૃહો દ્વારા ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગત આરટીઆઇમાં બહાર આવી છે. 20 ઉદ્યોગગૃહમાંથી ફક્ત 7 સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે 13 સામે હજી કાર્યવાહી ચાલી રહી હોવાનો જવાબ આપ્યો હતો. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે.

વિદેશી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી માટે દેશભરમાં વેપારીઓ લેશે આજે આ પગલું, CAITએ કરી એમેઝોનના ખાતાની ફોરેન્સિંગ ઑડિટની માગણી; જાણો વિગત

આરટીઆઇ કરનારા કાર્યકર્તાના કહેવા મુજબ અમદાવાદ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોના પૅકેટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવતી નથી. હલકી ગુણવત્તાનો સામાન વેચનારા સામે પગલાં લેવાની જવાબદારી સરકારની છે. છતાં તેના તરફ દુલર્ક્ષ કરવામાં આવી રહ્યું છે. જૂન 2020થી 2021 સુધીના સમયગાળામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં 20 ગૃહઉદ્યોગો તથા ડેરી અને પાર્લરનાં સૅમ્પલ ચેક કરવામાં આવ્યાં હતાં. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ હોવાનું જણાયું હતું.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version