Site icon

Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ

Ashishkumar Chauhan: આઈઆઈટી (IIT) થી લઈને NSE ના CEO સુધીની શાનદાર સફર; ડેરિવેટિવ્ઝના પિતા ગણાતા આશિષભાઈએ કૌભાંડોના પડછાયામાંથી બહાર કાઢી સંસ્થામાં ફરી વિશ્વાસ જગાડ્યો.

Ashishkumar Chauhan The visionary leader behind NSE's 5 trillion transformation and upcoming IPO.

Ashishkumar Chauhan The visionary leader behind NSE's 5 trillion transformation and upcoming IPO.

News Continuous Bureau | Mumbai

 ભારતીય મૂડી બજાર માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નું નામ આજે વિશ્વના ટોચના એક્સચેન્જોમાં લેવાય છે, અને આ સફળતા પાછળ જે વ્યક્તિનું સૌથી મોટું યોગદાન છે તે છે આશિષકુમાર ચૌહાણ. માત્ર ૨૪ વર્ષની ઉંમરે NSE નો પાયો નાખનાર ટીમમાં સામેલ આશિષકુમાર આજે તેના MD અને CEO તરીકે સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.૧૯૯૨માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો, ત્યારે આશિષકુમારે ભારતમાં પ્રથમ વખત કમ્પ્યુટર દ્વારા ટ્રેડિંગ ની શરૂઆત કરાવી હતી. આજે તેમના નેતૃત્વમાં NSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન $5 ટ્રિલિયન ને પાર કરી ગયું છે.

Join Our WhatsApp Community

કૌભાંડો અને વિવાદો વચ્ચે વિશ્વાસનું નિર્માણ

૨૦૨૨માં જ્યારે તેઓ ફરીથી NSE માં જોડાયા, ત્યારે સંસ્થા અનેક કોર્પોરેટ ગવર્નન્સના વિવાદોમાં ઘેરાયેલી હતી. આશિષકુમારે કોઈ મોટા દેખાડા કરવાને બદલે “શાંતિથી સતત પરિવર્તન” (Slow work without noise) કરવાની વ્યૂહરચના અપનાવી. તેમણે ટેકનોલોજીની ખામીઓને દૂર કરી અને સિસ્ટમને એટલી મજબૂત બનાવી કે આજે NSE વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની ગયું છે.

આ સમાચાર પણ વાંચો : Islamabad Peace Summit: ઇસ્લામાબાદમાં જામશે હાઈ-પ્રોફાઈલ બેઠક: વેન્સ અને કુશ્નર સામે ઈરાનના અરાઘચી, જાણો આખી પ્રતિનિધિઓની યાદી.

અનેક સીમાચિહ્નોના સર્જક

આશિષકુમાર ચૌહાણને ‘ફાધર ઓફ ડેરિવેટિવ્ઝ’ કહેવામાં આવે છે. તેમની મહત્વની સિદ્ધિઓ નીચે મુજબ છે:
Nifty 50: નિફ્ટી ઇન્ડેક્સની ઇકોસિસ્ટમ વિકસાવવામાં પાયાની ભૂમિકા.
BSE નું પરિવર્તન: ૨૦૧૨-૨૦૨૨ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જને વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ બનાવ્યું.
રેકોર્ડ ટ્રેડિંગ: ૫ જૂન ૨૦૨૪ ના રોજ એક જ દિવસમાં ૨૯ કરોડ ટ્રેડ્સનો અમલ કરીને વૈશ્વિક રેકોર્ડ સર્જ્યો.

હવે નજર NSE ના મેગા IPO પર

હાલમાં સમગ્ર રોકાણકારો અને બજારના નિષ્ણાતોની નજર NSE ના આગામી IPO પર છે. સેબી (SEBI) તરફથી મળેલી મંજૂરી બાદ, આશિષકુમાર હવે NSE ને પબ્લિક લિમિટેડ કંપની બનાવવા અને પારદર્શિતા વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. શેરબજાર સિવાય તેઓ રિલાયન્સ ગ્રુપમાં CIO અને આઈપીએલ (IPL) માં મુંબઈ ઇન્ડિયન્સના CEO તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

 

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version