Site icon News Continuous Bureau | Mumbai

Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.

નવા નાણાકીય વર્ષ થી બેન્કિંગ પોલિસીમાં મોટો ઉલટફેર, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ અને કેશ વિડ્રોઅલ લિમિટમાં બેંકોએ કર્યો ઘટાડો.

ATM Cash Withdrawal Rules to Change from April 1 2026 HDFC PNB and Bandhan Bank Announce New Transaction Fees and Limits

ATM Cash Withdrawal Rules to Change from April 1 2026 HDFC PNB and Bandhan Bank Announce New Transaction Fees and Limits

News Continuous Bureau | Mumbai

 જો તમે રોજબરોજના ખર્ચ માટે એટીએમ (ATM) થી પૈસા ઉપાડતા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ૧ એપ્રિલ ૨૦૨૬ થી દેશની કેટલીક મોટી બેંકોએ એટીએમ અને યુપીઆઈ (UPI) થી જોડાયેલા નિયમોમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. એચડીએફસી (HDFC), પંજાબ નેશનલ બેંક (PNB) અને બંધન બેંકે ટ્રાન્ઝેક્શન ફી અને ડેઈલી લિમિટમાં ફેરફાર કર્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના બજેટ પર પડી શકે છે.

Join Our WhatsApp Channel

HDFC બેંક: હવે UPI કેશ ઉપાડ પણ ફ્રી લિમિટમાં ગણાશે

એચડીએફસી બેંકે મોટો ફેરફાર કરતા જણાવ્યું છે કે હવે એટીએમ પર યુપીઆઈ (UPI) દ્વારા કેશ ઉપાડવાને પણ તમારા ‘ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ’ માં ગણવામાં આવશે. અગાઉ યુપીઆઈ કેશ ઉપાડને અલગ ગણવામાં આવતું હતું, પરંતુ હવે જો તમે નક્કી કરેલી ફ્રી લિમિટ ઓળંગશો, તો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹૨૩ વત્તા ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમ સામાન્ય એટીએમ ટ્રાન્ઝેક્શન જેવો જ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ

PNB બેંક: કેશ ઉપાડવાની દૈનિક મર્યાદામાં ઘટાડો

પંજાબ નેશનલ બેંકે (PNB) તેના વિવિધ ડેબિટ કાર્ડ્સ માટે દરરોજ કેશ ઉપાડવાની મર્યાદા ઘટાડી દીધી છે. કેટલાક કાર્ડ્સ પર લિમિટ ₹૧ લાખથી ઘટાડીને ₹૫૦,૦૦૦ કરી દેવામાં આવી છે, જ્યારે પ્રીમિયમ કાર્ડ્સ પર લિમિટ ₹૧.૫ લાખથી ઘટાડીને ₹૭૫,૦૦૦ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે મોટી રકમ ઉપાડવા માટે તમારે એક કરતા વધુ વખત એટીએમ જવું પડી શકે છે અથવા બેંક શાખાનો સંપર્ક કરવો પડશે.

બંધન બેંક: ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર લાગશે વધારાનો ચાર્જ (Bandhan Bank Charges)

બંધન બેંકે પણ એટીએમ વપરાશના નિયમોમાં ફેરફાર કર્યા છે. પોતાના એટીએમ પર દર મહિને ૫ ફ્રી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મળશે, જ્યારે અન્ય બેંકના એટીએમમાં મેટ્રો શહેરોમાં ૩ અને નોન-મેટ્રોમાં ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. ત્યારબાદ દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર ₹૨૩ અને નોન-ફાઇનાન્શિયલ પર ₹૧૦ ચાર્જ લાગશે. સૌથી મહત્વની વાત એ છે કે જો ખાતામાં પૂરતા પૈસા ન હોવાને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થશે, તો ગ્રાહકે ₹૨૫ નો વધારાનો દંડ ભરવો પડશે.

 

Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version