Site icon News Continuous Bureau | Mumbai

Bank Fixed Deposits: હવે FD પર ગ્રાહકોને મળશે વધુ વળતર, SBI સહિત આ બેંકે શરૂ કરી નવી ફીકસ ડિપોજીટ સ્કીમ.. જાણો વિગતે.

Bank Fixed Deposits: બેંકો હવે સતત FD પર વ્યાજ વધારી રહી છે. જેમાં સરકારી બેંકોનો પણ સમાવેશ થાય છે. SBI અને બેંક ઓફ બરોડાએ પણ હવે FD માટે નવી સ્કીમ શરૂ કરી છે. જાણો શું છે આ નવી સ્કીમ..

Bank Fixed Deposits Now customers will get more returns on FD, this bank along with SBI has started a new fixed deposit scheme.

Bank Fixed Deposits Now customers will get more returns on FD, this bank along with SBI has started a new fixed deposit scheme.

 News Continuous Bureau | Mumbai

Bank Fixed Deposits: બેંકો દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણનો મહત્તમ આંચકો હાલ સહન કરી રહી છે. બેંકોમાં થાપણો રાખવાને બદલે લોકો હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. જ્યાં તેમને ઉત્તમ વળતર મળી રહ્યું છે. થાપણદારોના આ વલણે હવે બેંકોની ચિંતા વધારી દીધી છે. તેથી, તેમને આકર્ષવા માટે, બેંકોએ હવે ફિક્સ ડિપોઝિટ ( Fixed Deposit ) પર વ્યાજ દર વધારવાનું શરૂ કર્યું છે. દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાએ આ દિશામાં તેની પ્રથમ પહેલ શરુ કરી છે.  

Join Our WhatsApp Channel

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડાએ ખાસ થાપણ યોજનાઓ શરૂ કરી છે જે ચોક્કસ કાર્યકાળ માટે જ રહશે. ઉદાહરણ તરીકે, બેંક ઓફ બરોડાએ ( Bank of Baroda ) મોનસૂન ધમાકા ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ ડિપોઝિટ સ્કીમ હેઠળ 399 અને 333 દિવસની ફિક્સ ડિપોઝિટમાં વધુ વ્યાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ બેંક ઓફ બરોડા 399 દિવસની FD પર 7.25 ટકા અને 333 દિવસની FD પર 7.15 ટકા વ્યાજ ( Interest rate ) આપી રહી છે. બંને યોજનાઓમાં વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ મળશે. બેંક ઓફ બરોડાની આ મોનસુન ધમાકા ડિપોઝીટ સ્કીમ ( Fixed Deposits scheme ) 15મી જુલાઈથી શરૂ કરવામાં આવી છે. 

Bank Fixed Deposits: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અમૃત વૃષ્ટિના નામથી તેમની સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ પણ શરૂ કરી છે….

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ( State Bank of India ) અમૃત વૃષ્ટિના નામથી તેમની સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ પણ શરૂ કરી છે. આ ડિપોઝિટ સ્કીમમાં 7.25 ટકા 444 દિવસની FD પર ઉપલબ્ધ છે. SBIએ 15 જુલાઈથી FD સ્કીમ પણ શરૂ કરી છે, જે 31 માર્ચ, 2025 સુધી ખુલ્લી રહેશે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ ( Fixed Deposit Interest rate ) આપવામાં આવી રહ્યું છે.  

આ સમાચાર પણ વાંચો  : Samsung Galaxy: Samsung Galaxy M35 5G લૉન્ચ, 6000mAh બેટરી સાથે 50MP કૅમેરો, મળશે આટલું હજારનું ડિસ્કાઉન્ટ.. જાણો શું છે કિંમત…

વાસ્તવમાં, બેંકો જે ઝડપે લોન આપી રહી છે તે જ ઝડપે થાપણો હવે આવી રહી નથી. નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે, એપ્રિલથી જૂન સુધીના તેમના અપડેટ્સમાં, બેંકોએ જણાવ્યું હતું કે જ્યારે જારી કરાયેલ ક્રેડિટ વધી રહ્યા છે, ત્યારે થાપણોમાં તે મુજબ વધારો થઈ રહ્યો નથી. બેંકોમાં બચત ખાતાઓ અથવા ફિક્સ્ડ ડિપોઝીટ રાખવાને બદલે, લોકો તેમની મહેનતથી કમાયેલા નાણાં SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે, જ્યાં તેમને વધુ વળતર મળી રહ્યું છે. બેંક ડિપોઝીટમાં ઘટાડાનું આ એક મોટું કારણ છે. 

બેંકોમાં ઘટતી જતી થાપણોએ બેંકિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચિંતામાં પણ વધારો કર્યો છે. બેંકોના MD-CEO સાથેની તાજેતરની સમીક્ષા બેઠકમાં, RBI ગવર્નરે એસેટ-લાયબિલિટી મિસમેચ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને બેંકોને આ ગેપ ભરવા માટે કહ્યું છે. જ્યારે બજેટમાં એસબીઆઈ રિસર્ચે સરકાર પાસે મ્યુચ્યુઅલ ફંડ ( Mutual fund ) અને શેરબજારની જેમ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ટેક્સમાં પણ ફેરફાર કરવાની માંગ કરી છે. SBI રિસર્ચના અર્થશાસ્ત્રીઓએ તમામ પાકતી મુદતની થાપણો માટે સમાન ટેક્સ ટ્રીટમેન્ટનું સૂચન પણ કર્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો  :  Mumbai rain: મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, અતિ ભારે વરસાદની આગાહી; હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત
Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
Exit mobile version