Site icon News Continuous Bureau | Mumbai

દેશભરમાં 2 દિવસ રહેશે બેંક હડતાળ, ATM સહિત આ તમામ સેવાઓને થશે અસર: કરોડો ગ્રાહકો થઈ શકે છે પરેશાન

બેંક જતા ગ્રાહક (Bank Customer) ઓ માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ આ મહિનાના અંતમાં બેંકને લગતું કોઈ કામ હોય તો તમારે તેને પહેલા જ પતાવી લેવું જોઈએ.

Bank strike will last 2 days across

Bank strike will last 2 days across

News Continuous Bureau | Mumbai
Bank Strike 2023: બેંક જતા ગ્રાહક (Bank Customer) ઓ માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ આ મહિનાના અંતમાં બેંકને લગતું કોઈ કામ હોય તો તમારે તેને પહેલા જ પતાવી લેવું જોઈએ. 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી તમને બેન્કિંગ કામ પતાવવામાં મુશ્કેલી આવી શકે છે. આપને જણાવી દઈએ કે બેંક યુનિયને 2 દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

4 દિવસ કેમ થઈ શકે છે મુશ્કેલી ?

આપને જણાવી દઈએ કે 28 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર છે, જેના કારણે બેંકો બંધ રહેશે. તેની સાથે 29 જાન્યુઆરીએ રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ બધા સિવાય બેંક યુનિયન દ્વારા 30 અને 31 જાન્યુઆરીએ હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને 4 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Join Our WhatsApp Channel

પોતાની માગોને પૂર્ણ કરવા માટે કરશે હડતાળ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) ની મુંબઈમાં બેઠક યોજાઈ હતી. જેમાં બેંક યુનિયનોએ બે દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. બેંક યુનિયનો તેમની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવા માટે હડતાળ પર જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝના ઉદ્ઘાટન સમારોહમાં PM મોદીએ આપી હાજરી આપી, વારાણસીથી ડિબ્રુગઢ જશે

5 દિવસ કરવામાં આવશે બેન્કિંગ કામ

માહિતી આપતાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું કે યુનાઈટેડ ફોરમની એક બેઠક યોજાઈ હતી, જેમાં 2 દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે બેંક યુનિયનોની માગ છે કે બેન્કિંગનું કામ 5 દિવસ સુધી કરવામાં આવે. તેની સાથે પેન્શન પણ અપડેટ કરવું જોઈએ.

આ માંગણીઓ પણ પૂરી થવી જોઈએ

તેની સાથે કર્મચારીઓની માગ છે કે NPS નાબૂદ કરવામાં આવે અને પગાર વધારા માટે વાતચીત કરવામાં આવે. આ તમામ ઉપરાંત તમામ કેડરોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરવામાં આવી છે. આ તમામ માગણીઓને લઈને યુનિયને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

સતત 4 દિવસ ગ્રાહકોને થઈ શકે છે પરેશાની

આપને જણાવી દઈએ કે શનિવાર અને રવિવારે બેંકમાં રજા છે. તેના પછી, સોમવાર અને મંગળવારે બેંક હડતાલ છે, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ATMમાં રોકડ ખતમ થવાની સમસ્યા સામે આવી શકે છે. તેની સાથે ચેક ક્લિયરન્સને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
FSSAI Red Warning Label પેકેટ પર ‘લાલ નિશાન’ એટલે ખતરાની ઘંટી! સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૂડ પેકેજિંગના નિયમો બદલાયા
Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Exit mobile version