Site icon News Continuous Bureau | Mumbai

ભારતપેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરને આપ્યું પડ્યું આ કારણથી રાજીનામું… જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 01, માર્ચ 2022,

Join Our WhatsApp Community

મંગળવાર, 

ભારતપેના સહ-સ્થાપક અને મેનેજીંગ ડાયરેક્ટર અશ્નીર ગ્રોવરે ફીનટેક્ટ ફર્મમાંથી રાજીનામું આપ્યું છે. સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં અશ્નીર ગ્રોવર સામે તપાસ શરૂ કરવા માટે ફિનટેક પ્લેટફોર્મ સામે દાખલ કરવામાં આવેલા કેસમાં તેમનો પરાજય થયો છે.  આ હાર બાદ અશ્નીરના રાજીનામાના પ્રત્યાઘાત પડ્યા હતા.

ફિનટેક યુનિકોર્નના બોર્ડને એક ઈમેલમાં, અશ્નીર ગ્રોવરે કહ્યું હતું કે, "જે કંપનીની સ્થાપના કરી છે તે કંપની જ છોડવા માટે મને ફરજ પાડવામાં આવી રહી છે તે સાંભળીને મને ખરેખર દુઃખ થાય છે.”

અગાઉ, ભારતપે કંપનીના કંટ્રોલ વિભાગના વડા અને અશ્નીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરને નાણાકીય અનિયમિતતાના આરોપસર બરતરફ કર્યા હતા. માધુરી જૈન ભારતપે ખાતે કંટ્રોલ વિભાગના વડા હતા. આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે ફિનટેક પ્લેટફોર્મ પર હતા ત્યારે ફંડનો દુરુપયોગ થયો હતો. કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓ સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા બદલ અશ્નીર ગ્રોવરને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તે પછી તેમની પત્ની માધુરી જૈને પણ માર્ચના અંત સુધી સ્વૈચ્છિક રજા લીધી હતી.

19 જાન્યુઆરીએ, ભારતપેના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરે જાહેરાત કરી કે તેઓ માર્ચ સુધી રજા પર રહેશે. હકીકતમાં, જાન્યુઆરીની શરૂઆતમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં અશ્નીર કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીને ફોન પર ધમકી આપી રહ્યા હતા. નાયકાના IPO દરમિયાન શેરના વિતરણમાં બેંક દ્વારા અનિયમિતતા આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને, તેમણે ધમકી આપી હોવાનું કહેવાય છે.

જો કે, અશ્નીરે આરોપોને નકારી કાઢતા કહ્યું કે આ ક્લિપ નકલી છે. જો કે, પાછળથી જાણવા મળ્યું કે અશ્નીર અને તેની પત્ની માધુરીએ ઓક્ટોબર 2021માં કોટક મહિન્દ્રા બેંકને નાયકાના IPOને ફાઇનાન્સ કરવામાં નિષ્ફળ રહેવા બદલ નોટિસ મોકલી હતી.

રિપોર્ટ્સ અનુસાર અશ્નીર ગ્રોવરે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B-Tech ડિગ્રી મેળવી છે. તેણે IIM અમદાવાદમાંથી MBA પણ કર્યું છે.

હવે દૂધ પીતાં પહેલા કરવો પડશે વિચાર, અમુલે દૂધના ભાવમાં આટલા રૂ. નો કર્યો વધારો, જાણો નવા ભાવ

અશ્નીર ગ્રોવર અને તેની પત્ની રજા પર ગયા બાદ કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાની ચર્ચા હતી. જો કે, ભારતપે કંપનીના બોર્ડ દ્વારા ખુલાસો જારી કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં કોઈ કર્મચારીને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી. આ અંગેના તમામ અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. કંપની સ્વતંત્ર અને સંપૂર્ણ તપાસ માટે પ્રતિબદ્ધ છે. જ્યાં સુધી સમગ્ર તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લેવામાં આવશે નહીં. મીડિયાને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અથવા રિપોર્ટ આવે તે પહેલાં અટકળો ન કરો. કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અજાણ્યા સ્ત્રોતોના આધારે કોઈ સમાચાર આપવા જોઈએ નહીં. આ દરમિયાન કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version