Site icon News Continuous Bureau | Mumbai

PF Account Holders: દિવાળી પર PF ખાતાધારકોને મોટી ભેટ, ખાતામાં જમા થવા લાગ્યા વ્યાજના પૈસા!

PF Account Holders: તહેવારોની સીઝનની શરૂઆત સાથે જ પીએફ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કર્મચારીઓના ખાતામાં વ્યાજના પૈસા આવવા લાગ્યા છે. અહેવાલો અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ભવિષ્ય નિધિ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે.

Big gift to PF account holders on Diwali, interest money started getting deposited in the account

Big gift to PF account holders on Diwali, interest money started getting deposited in the account

News Continuous Bureau | Mumbai 

PF Account Holders: તહેવારોની સીઝનની ( festive season ) શરૂઆત સાથે જ પીએફ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કર્મચારીઓના ખાતામાં વ્યાજના પૈસા આવવા લાગ્યા છે. અહેવાલો અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( EPFO ) એ ભવિષ્ય નિધિ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ ખાતામાં રોકાણ પર વ્યાજ દર ( Interest rate )  8.15 ટકા છે. કેટલાક કર્મચારીઓને તેમના ખાતામાં વ્યાજની રકમ મળી ચૂકી છે. જોકે, વ્યાજની રકમ ખાતાઓમાં દેખાવામાં થોડો સમય લાગી શકે છે.

Join Our WhatsApp Channel

પ્રક્રિયા પાઇપલાઇનમાં

અહેવાલ અનુસાર, EPFO મુજબ વ્યાજ જમા કરવાની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. જ્યારે પણ વ્યાજ જમા કરવામાં આવશે, તે સંપૂર્ણ ચૂકવવામાં આવશે. EPFOએ કર્મચારીઓને ( employees ) ધીરજ રાખવા જણાવ્યું છે. EPFO મુજબ, વ્યાજમાં કોઈ ઘટાડો થશે નહીં.

24 કરોડ ખાતામાં વ્યાજ જમા થયું

કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવના ( Bhupendra Yadav ) જણાવ્યા અનુસાર, 24 કરોડથી વધુ ખાતાઓમાં વ્યાજ જમા થઈ ચૂક્યું છે. એકવાર વ્યાજ જમા થઈ જાય, તે વ્યક્તિના પીએફ ખાતામાં પ્રતિબિંબિત થશે. તેમને જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટનું બેલેન્સ ઘણી રીતે ચેક કરી શકે છે – ટેક્સ્ટ મેસેજ, મિસ્ડ કોલ, ઉમંગ એપ અને EPFO ​​વેબસાઈટ દ્વારા પણ જાણી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Vivo: Vivoના આ ફોન પર તમને મળી રહી છે મોટી ડિસ્કાઉન્ટ ડીલ! જાણો વિગત.

આ રીતે નક્કી થાય છે વ્યાજ

તમને જણાવી દઈએ કે, PF વ્યાજદર દર વર્ષે EPFO ​ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા નાણા મંત્રાલય સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવે છે. આ વર્ષે EPFO ​​દ્વારા જુલાઈમાં વ્યાજદરની જાહેરાત કરવામાં આવી હતી. ગયા વર્ષે, EPFOએ તેના ગ્રાહકો માટે વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 2020-21માં 8.10 ટકાના ચાર દાયકાના નીચા સ્તરે કર્યો હતો. 1977-78 પછી આ સૌથી નીચો હતો, જ્યારે EPF વ્યાજદર 8 ટકા હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Jaggery Price Hike ખાંડ બાદ હવે ગોળના ભાવમાં પણ મોટો ભડકો ૮૦ થી ૯૦ પ્રતિ કિલોએ પહોંચ્યા ભાવ, જાણો અચાનક ભાવવધારા પાછળના મુખ્ય કારણો
India FTA expansion એક્સપોર્ટઈમ્પોર્ટ સેક્ટરમાં આવશે મોટો ઉછાળો ભારતનો માસ્ટરપ્લાન, આટલા નવા દેશો સાથે ટ્રેડ ડીલ કરવા સરકાર તૈયાર
Pulse prices hike ખાંડડુંગળી બાદ હવે દાળ પણ મોંઘી, અડદથી લઈને તુવેર સુધીના ભાવ વધ્યા; જાણો નવી કિંમતો
New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Exit mobile version