Site icon

Budget 2023: સરકાર ડાયરેક્ટ ટેક્સના રેટ્સમાં કરી શકે છે ઘટાડો, બજેટમાં થઈ શકે છે જાહેરાત

ટેક્સ સ્લેબમાં ફેરફાર નવી ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ હેઠળ ઓફર કરી શકાય છે. આ ડાયરેક્ટ ટેક્સ રીઝીમને આકર્ષક બનાવવા માટે કરી શકાય છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય તરફથી લેવામાં આવશે. નાણા મંત્રાલય નવા શાસન હેઠળ ટેક્સના રેટ્સમાં 30 ટકા અને 25 ટકાનો ઘટાડો કરી શકે છે.

Budget 2023: Central Government may reduce direct tax rates

Budget 2023: સરકાર ડાયરેક્ટ ટેક્સના રેટ્સમાં કરી શકે છે ઘટાડો, બજેટમાં થઈ શકે છે જાહેરાત

News Continuous Bureau | Mumbai

Budget 2023: ભારત સરકાર નવા ડાયરેક્ટ કર રીઝીમ હેઠળ ટેક્સના રેટ્સ ઘટાડવાનું વિચારી રહી છે. આ ક્રમમાં, 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સ્લેબમાં ફેરફારની ઓફર કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા ડાયરેક્ટ ટેક્સ રીઝીમને આકર્ષક બનાવવા માટે આવું કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલયમાંથી લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય નવી વ્યવસ્થા હેઠળ ટેક્સ રેટ ઘટાડીને 30 ટકા અને 25 ટકા કરી શકે છે.

Join Our WhatsApp Community

બિબેક દેબરોયે વકીલાત કરી હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયનો ઉદ્દેશ્ય લોકોને કોઈ પણ પ્રકારની છૂટ વિના ધીમે ધીમે કર વ્યવસ્થામાં શિફ્ટ કરવાનો છે. અગાઉ, નવેમ્બરમાં EAC-PMના અધ્યક્ષ બિબેક દેબરોયે ટેક્સપેયરને નવી કર વ્યવસ્થામાં શિફ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત, એક તરફ મોદી નો વિરોધ અને બીજી તરફ સામના અખબારમાં આખું ફ્રન્ટ પેજ મોદીના કટ આઉટ થી છવાઈ ગયું. જુઓ ફોટો.

નવી યોજના 2020માં જાહેર કરવામાં આવી હતી

ટેક્સ કંપ્લાયન્સને આસાન બનાવવા માટે 2020માં નવી ઓપ્શન આવકવેરા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તે વાર્ષિક આવક પર નીચા ટેક્સ રેટ્સ ઓફર કરે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાઉસિંગ ભાડા અને વીમા વગેરે પર છૂટ ન મળવાને કારણે તે કરદાતાઓ માટે આકર્ષક નથી. જો કે સરકારે હજુ સુધી આ નવી ટેક્સ સિસ્ટમને કેટલા લોકોએ અપનાવી છે તેનો ડેટા આપ્યો નથી.

હાલમાં દેશમાં ઓછામાં ઓછી 5 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી પર આવકવેરો વસૂલવામાં આવે છે. નવી સ્કીમમાં 5 લાખથી 7.50 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ લાગે છે, જ્યારે જૂના શાસનમાં 20 ટકા ટેક્સ લાગતો હતો. જ્યારે 15 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

તો સાથે મીડલ ક્લાસ વર્ગની પણ એવી માગ છે કે ટેક્સ પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે, અને 5 લાખના સ્લેબમાં ફેરફાર કરી મર્યામાં વધારો કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો:  Mankhurd-Thane Flyover : ટ્રાફિક જામથી મળશે છુટકારો, ‘આ‘ તારીખથી માનખુર્દથી થાણે માત્ર પાંચ મિનિટમાં જવાશે..

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version