Site icon

Budget 2025 Income Tax : બજેટમાં નોકરિયાતો અને મધ્યમવર્ગ મળી સૌથી મોટી ખુશી, આટલા લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં

Budget 2025 Income Tax : બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે.

Budget 2025 Income Tax No income tax payable up to Rs 12 lakh under new regime Nirmala Sitharaman

Budget 2025 Income Tax No income tax payable up to Rs 12 lakh under new regime Nirmala Sitharaman

News Continuous Bureau | Mumbai

 Budget 2025 Income Tax : મધ્યમ વર્ગ જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે આવી ગઈ છે…  નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું, ત્યારે મધ્યમ વર્ગ સૌથી વધુ આવકવેરામાં રાહતની રાહ જોઈ રહ્યો હતો. બજેટ ભાષણ સમાપ્ત કરતી વખતે, નાણામંત્રીએ તેમની ઇચ્છા પૂરી કરી અને હવે દેશમાં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 Budget 2025 Income Tax : 12 લાખ સુધીની આવક હવે કરમુક્ત

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ, 12 લાખ સુધીની આવક હવે કરમુક્ત રહેશે. ઉપરાંત, પગારદાર વર્ગને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે. આ રીતે, તેમનો કુલ 12.75 લાખ રૂપિયાનો પગાર કરમુક્ત રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Bank Holidays February 2025 : ફેબ્રુઆરી 28 દિવસનો મહિનો અને 14 દિવસની બેંકમાં રજા; જુઓ રજાઓની યાદી..

આ સાથે, નાણામંત્રીએ નવી કર વ્યવસ્થા હેઠળ કર સ્લેબમાં ફેરફારની પણ જાહેરાત કરી છે. નવા ટેક્સ સ્લેબમાં, સરકાર 4 લાખ રૂપિયા સુધીના ટેક્સ પર શૂન્ય ટેક્સ વસૂલશે. જ્યારે સામાન્ય માણસને ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર લાગતા ટેક્સ પર ટેક્સ રિબેટ મળશે.

 Budget 2025 Income Tax : નવી વ્યવસ્થામાં નવો આવકવેરા સ્લેબ

આવક                                  ટેક્સ 

0-4 લાખ રૂપિયા                      શૂન્ય

4-8 લાખ રૂપિયા                    5 ટકા

8-11 લાખ રૂપિયા                 10 ટકા

12-16 લાખ રૂપિયા               15 ટકા

16-20 લાખ રૂપિયા               20 ટકા

20-24 લાખ રૂપિયા               25 ટકા

24 લાખ રૂપિયાથી ઉપર        30 ટકા

Budget 2025 Income Tax :  નવો આવકવેરા કાયદો બનાવવામાં આવશે.

જોકે સરકારે  આ વખતે પણ જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સરકારની નવી કર વ્યવસ્થાના પ્રોત્સાહનનો સંકેત આપે છે. આ સાથે, દેશમાં એક નવો આવકવેરા કાયદો બનાવવામાં આવશે. આ માટે સરકાર આવતા અઠવાડિયે એક નવું બિલ લાવશે. હાલમાં, દેશમાં 1961નો આવકવેરા કાયદો અમલમાં છે. બજેટ 2020 માં, સરકારે આ કાયદા હેઠળ એક નવી કર વ્યવસ્થા લાગુ કરી. પરંતુ જુલાઈ 2024 માં રજૂ કરાયેલા બજેટમાં સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે દેશમાં આવકવેરા કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. આ માટે એક સમીક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી. હવે તેના આધારે, સરકારે એક નવું બિલ લાવવાની જાહેરાત કરી છે, આમાંથી બનનાર આવકવેરા કાયદો દેશમાં 1961ના કાયદાનું સ્થાન લેશે.

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version