Site icon News Continuous Bureau | Mumbai

CAIT : ધનતેરસ પર સોના-ચાંદી ખરીદવા પડાપડી, માત્ર દિલ્હીમાં થયો અધધ આટલા કરોડનો ધંધો..

CAIT : ધનતેરસ પર લગભગ રૂ. 30,000 કરોડની કિંમતનું સોનું, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓનો વેપાર થયો હતો. સોના અને સોનાના દાગીનાના વેચાણનો આંકડો રૂ.27,000 કરોડ હતો.

CAIT : Gold worth Rs 27,000 crore sold on Dhanteras

CAIT : Gold worth Rs 27,000 crore sold on Dhanteras

 News Continuous Bureau | Mumbai

CAIT : પાંચ દિવસીય દિવાળી પર્વનો આજથી (10 નવેમ્બર) પ્રારંભ થયો છે. આજે ધનતેરસ (Dhanteras) છે. ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં અદ્ભુત ખરીદી જોવા મળે છે. ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસીય દીપોત્સવ (Diwali) ને લઈને બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ટ્રેડર્સ ફેડરેશનના જણાવ્યા અનુસાર ધનતેરસ પર દેશભરમાં 50 હજાર કરોડથી વધુનો બિઝનેસ (Business) થયો છે. જેમાં 30 હજાર કરોડ રૂપિયાનું સોનું અને ચાંદી અને 20 હજાર કરોડ રૂપિયાના સામાનનું વેચાણ થયું હતું. બજારમા ખરીદીનો એટલો ધમધમાટ હતો કે દિલ્હીમાં ગઈ રાતથી પડેલા વરસાદની પણ ગ્રાહકો પર કોઈ અસર થઈ ન હતી.

Join Our WhatsApp Channel

30,000 કરોડનું સોનું અને ચાંદીનું વેચાણ થયું

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે. જેમાંથી 30 હજાર કરોડનો વેપાર માત્ર સોના-ચાંદીમાં જ થયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે દોઢ ગણા વધુ ગ્રાહકો છે. તેથી વેચાણ પણ જબરદસ્ત થઇ રહ્યું છે. તેમના મતે, સામાન્ય દિવસોમાં બુલિયન માર્કેટ સાંજે સાત વાગ્યે બંધ થાય છે. ધનતેરસની મધરાત સુધી ધંધો ચાલુ રહેવાની શક્યતા છે.

41 ટન સોનાનું વેચાણ

વર્ષ 2022માં સોનાની કિંમત 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે તે સમયે તે 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં ઉપલબ્ધ હતી. ગત દિવાળી પર ચાંદી 58,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી, જે આ વર્ષે 72,000 રૂપિયા પ્રતિ કિલો છે. એક અનુમાન મુજબ આજે ધનતેરસ પર દેશમાં લગભગ 41 ટન સોનું અને લગભગ 400 ટન ચાંદીના ઘરેણા અને સિક્કાઓનું વેચાણ થયું છે.

આ સમાચાર પણ વાંચોઃ  Manish Sisodia : જેલમાં જ દિવાળી મનાવશે મનીષ સિસોદિયા, આવી ગયો આ આદેશ… કોર્ટ ન થઈ સહમત..

દેશભરમાં રૂ. 50,000 કરોડનો બિઝનેસ

ટ્રેડર્સ ફેડરેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ, ધનતેરસના અવસર પર દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે, જેમાંથી એકલા દિલ્હીમાં 5 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. ધનતેરસના દિવસે ગણેશ, લક્ષ્મી, કુબેરની મૂર્તિઓ કે ચિત્રો ખરીદવામાં આવે છે. આ ઉપરાંત વાસણો, રસોડાના ઉપકરણો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સાથે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેથી તેની ખૂબ માંગ છે. દિવાળી માટે માટીના દીવા, કંદીલ, ઘર અને ઓફિસ ડેકોરેશનની વસ્તુઓ, ફર્નિશિંગ ફેબ્રિક, દિવાળી પૂજા સામગ્રી પણ વેચાઈ રહી છે.

Oil Marketing Companies Loss। ક્રૂડના ભાવ વધતા તેલ કંપનીઓની હાલત કફોડી પેટ્રોલડીઝલના વેચાણ પર થઈ રહ્યું છે કરોડોનું નુકસાન
Adani Energy Plan। ભારતના ઉર્જા ક્ષેત્રે અદાણીનો માસ્ટરસ્ટ્રોક! ૨૦૪૭ ના લક્ષ્ય માટે ૧૦૦ બિલિયન ડોલર નું માતબર રોકાણ, જાણો શું છે સંપૂર્ણ પ્લાન
Ganga Expressway। ગંગા એક્સપ્રેસવેથી ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓની બદલાશે કિસ્મત રિયલ એસ્ટેટ માટે બનશે ‘ગોલ્ડન કોરિડોર’
Credit Card Benefits। નેટફ્લિક્સથી લઈને જિમ સુધી બધું જ સસ્તું! આ 5 ક્રેડિટ કાર્ડ્સ વાપરીને વર્ષે 10,000 બચાવો
Exit mobile version