Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વેપારીઓ સાથે વધતા ગુંડાગર્દીના મામલા, આ વેપારી સંગઠને ડીજી સાથે કરી મુલાકાત, કાર્યવાહીની કરી માંગ

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડીબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 36 દિવસ પહેલા ઘોડબંદર રોડ, થાણે (પ)માં સ્થિત પ્રગતિ જ્વેલર્સમાં કપૂરબાવડી પોલીસ સ્ટેશનના API સંતોષ પિંગલે અને સાથી પોલીસ અધિકારી ખોટા આરોપીને દુકાનમાં લાવીને ચોરીના દાગીના લેવાનો ખોટો આરોપ લગાવીને વસૂલાતનો હેતુ પૂરો કરવા માંગતા હતા, પરંતુ હેતુ પૂરો ન થતાં તેણે દુકાનના નિર્દોષ કર્મચારી સાથે મારપીટ કરી,અભદ્ર ટિપ્પણી કરી અને વેપારીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

Cait met DG for suspension of police officer

મહારાષ્ટ્રમાં વેપારીઓ સાથે વધતા ગુંડાગર્દીના મામલા, આ વેપારી સંગઠને ડીજી સાથે કરી મુલાકાત, કાર્યવાહીની કરી માંગ

 News Continuous Bureau | Mumbai

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડીબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 36 દિવસ પહેલા ઘોડબંદર રોડ, થાણે (પ)માં સ્થિત પ્રગતિ જ્વેલર્સમાં કપૂરબાવડી પોલીસ સ્ટેશનના API સંતોષ પિંગલે અને સાથી પોલીસ અધિકારી ખોટા આરોપીને દુકાનમાં લાવીને ચોરીના દાગીના લેવાનો ખોટો આરોપ લગાવીને વસૂલાતનો હેતુ પૂરો કરવા માંગતા હતા, પરંતુ હેતુ પૂરો ન થતાં તેણે દુકાનના નિર્દોષ કર્મચારી સાથે મારપીટ કરી,અભદ્ર ટિપ્પણી કરી અને વેપારીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ જ્યારે પોલીસે માલના વેચાણની તારીખ જણાવી, ત્યારે દુકાનદારે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ બતાવ્યા. જેમાં સ્પષ્ટ થયું કે કથિત ગુનેગાર દુકાનમાં આવ્યો ન હતો. જેના કારણે પોલીસ પોતાના ઉદ્દેશ્યમાં નિષ્ફળ ગઈ.

Join Our WhatsApp Community

આ પછી દુકાનદારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, જેમની પાસે ગૃહ મંત્રાલયની સત્તા પણ છે, પોલીસ મહાનિર્દેશક, પોલીસ સ્ટેશનના પોલીસ કમિશનરને જાણ કરી અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી, પરંતુ તે મામલાને 36 દિવસ વીતી ગયા છતાં પોલીસ અધિકારી આઝાદ અને નિર્ભય રીતે ફરી રહ્યો છે અને વેપારીને વિવિધ માધ્યમો દ્વારા આ બાબતનો અંત ન લાવવા બદલ ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે વેપારીની પ્રતિષ્ઠાને પહેલાથી જ નુકસાન તો થયું છે, પરંતુ હવે તેના અને તેના પરિવારના જીવનું જોખમ પણ વધી રહ્યું છે. વેપારીને સમજાતું નથી કે આટલા દિવસો પછી પણ પોલીસ અધિકારીઓ આ ગુનેગાર પોલીસ અધિકારીને કેમ બચાવી રહ્યા છે? આ તમામ બાબતોની જાણ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક રજનીસ સેઠને કરવામાં આવી હતી. તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

થામના કો-સેક્રેટરી અશોક બદાલાએ જણાવ્યું હતું કે, આ હુમલા પછી નિર્દોષ કર્મચારીને પોલીસ સ્ટેશનની સિવિલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. તે પછી પણ તે આ અકસ્માતને કારણે નર્વસ રહેતો હતો અને બાદમાં તે પોલીસ સ્ટેશન છોડીને તેના ગામ જતો રહ્યો. તેવી જ રીતે આ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ પણ ડરના કારણે કામ છોડી દીધું હતું, જેના કારણે પ્રતિષ્ઠાની સાથે સાથે વેપારીને ધંધા થી પણ હાથ ધોઈ બેસવનો વારો આવ્યો હતો. આ ઘટના બાદ વેપારીનો ધંધો લગભગ 60% જેટલો ઘટી ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેને ઝટકે પે ઝટકા.. ધનુષ-તીર બાદ હવે મશાલ પણ જશે? આ પાર્ટી પહોંચી ચૂંટણી પંચ પાસે.. જાણો શું છે સમગ્ર મામલો..

CAITના મુંબઈ પ્રમુખ દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે દિન-પ્રતિદિન બનતી આવી ઘટનાઓથી વેપારીઓ ચિંતિત છે, તેથી પોલીસ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

દરમિયાન શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં મહારાષ્ટ્રમાં ઘણા વેપારીઓ સાથે આવી ઘટનાઓ બની છે. તેથી જ પોલીસ વિભાગે બજારોમાં વધુ પેટ્રોલિંગ કરવું જોઈએ અને વેપારીઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તાજેતરમાં લોકમાન્ય નગર પોલીસ સ્ટેશનમાં એક સલૂન વેપારીને કેટલાક ગુંડાઓ દ્વારા વસૂલીના ઈરાદે ધમકીઓ આપવામાં આવી રહી હતી, તેના પર યોગ્ય સમયે ધ્યાને ન લેવાના કારણે વેપારીએ આત્મહત્યા કરવી પડી હતી. આથી આવા બનાવોમાં જવાબદાર પોલીસ અધિકારીઓને બોલાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અન્યથા વેપારીઓને હિજરત કરવાની ફરજ પડશે જેના કારણે રાજ્યની પ્રતિષ્ઠા અને આવકને પણ નુકસાન થશે.

ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે વેપારી સંગઠને ડીજી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં શંકર ઠક્કર, દિલીપ મહેશ્વરી, ઘોડબંદર જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અશોક બદાલા અને પ્રગતિ જ્વેલર્સના માલિક હાજર રહ્યા હતા.

Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Exit mobile version