Site icon News Continuous Bureau | Mumbai

ઈ-કોમર્સ પર વેપાર કરવા ઈચ્છુક નાના વેપારીઓને આવી રહી છે અડચણ. CAITએ નાણામંત્રીને આ શરત હટાવવાનો કર્યો આગ્રહ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

વાર્ષિક 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના રિટેલરો માટે GSTમાં રજિસ્ટ્રેશન કરાવવામાંથી છૂટ છે. પરંતુ ઈ-કોમર્સ પર વેપાર કરવા ઈચ્છુક વેપારીઓને  ફરજિયાત GST નંબર લેવાનો હોય છે. તેથી નાના વેપારીઓને ઈ-કોમર્સ અપનાવવામાં અવરોધ આવી રહ્યો છે એવી ફરિયાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવી છે.

CAITએ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનનું ધ્યાન GST હેઠળની વિસંગતતા તરફ દોર્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઈન્ડિયા"ના વિઝનની વિરુદ્ધ છે. CAITએ નિર્મલા સીતારામને આગ્રહ કર્યો છે કે તેઓ GST કાઉન્સિલને આ વિસંગતતાને તાત્કાલિક દૂર કરવા વિનંતી કરે.

CAITએ બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ GST કાયદા હેઠળ જે વિક્રેતા ઇ-કોમર્સમાં ઉત્પાદન વેચવા માંગે છે તેણે ફરજિયાતપણે GST નંબર મેળવવો જરૂરી છે. કોઈપણ વિક્રેતા કે જેની પાસે GST નંબર નથી તેને કોઈપણ ઈ-કોમર્સ પોર્ટલ પર ઉત્પાદન વેચવાની મંજૂરી નથી. કાયદાની આ જોગવાઈ દેશભરના લાખો વેપારીઓને તેમના ઉત્પાદનો વેચવા માટે ઈ-કોમર્સનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે છે.

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ ઘણા મંત્રાલયો અને રાજ્ય સરકારો વડા પ્રધાન મોદીના વિઝનના અનુસંધાનમાં વધુને વધુ વિક્રેતાઓને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લાવવા ઉત્સુક છે, ત્યારે દેશમાં GST નંબર વગરના વેચાણકર્તાઓને મંજૂરી ન આપવાની જોગવાઈ છે. લાખો વેપારીઓ દ્વારા ડિજિટલ વાણિજ્ય અપનાવવામાં એક મોટો અવરોધ આવી રહ્યો છે. સરકાર દેશમાં નાના રિટેલરોના સશક્તિકરણ માટે ઘણું બધું કરવા માંગે છે પરંતુ આ નાના રિટેલરોનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયાથી ઓછું હોવાથી તેમને GST રજિસ્ટ્રેશન લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેથી GST નંબર લેતા નથી. તેને કારણે હવે  નાના વેપારીઓ કે જેઓ ડિજિટલ કોમર્સ અપનાવવા માંગે છે તેમને અડચણ આવી રહી છે.

તેજી પર લાગી બ્રેક! લાલ નિશાન પર બંધ થયું શેરબજાર : સેન્સેક્સ આટલા પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 18,150 ની નીચે સેટલ

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ કોઈપણ ઈ-કોમર્સ પોર્ટલ પર ઓનબોર્ડિંગ કરતી વખતે GST નંબરની શરત દૂર કરવી જરૂરી છે. માત્ર વેપારીઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં કારીગરો, કારીગરો, કુટીર અને ગૃહ ઉદ્યોગો, કલાકારો અને અન્ય સમાન વર્ગો પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પોતાની જાતને જોડવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે, જેને કારણે સ્થાનિક બજાર જ નહીં, પરંતુ નિકાસ પર પણ તેની ખરાબ અસર પડી રહી છે.

AI India economy AI બદલશે ભારતનું નસીબ! અંબાણીએ કરી ૩૦ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની ભવિષ્યવાણી.
RBI’s strategic measures RBI’s strategic measures RBI ના નિર્ણયોની પોઝિટિવ અસર વિદેશી રોકાણ (Foreign Investment) આંકડો ૩.૩૨ લાખ કરોડને પાર, ભારતની આર્થિક સ્થિતિ થઈ મજબૂત
Isobutanolblended diesel પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડિઝલમાં પણ થશે મોટા ફેરફાર 15 ટકા ‘આઇસોબ્યુટેનોલ’ મિશ્રિત ડિઝલ આવશે બજારમાં; પ્રદૂષણ ઘટવાની આશા
New Edible Oil Rules તેલના ભાવમાં હવે ઠગાઈ નહીં! ખાદ્ય તેલ ના ભાવ માં મળશે પારદર્શિતા, સરકારના નવા નિયમોથી ગ્રાહકોને થશે મોટો ફાયદો.
Exit mobile version