News Continuous Bureau | Mumbai
હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહી પડે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે.
અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.
આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ થશે કે, છેતરપિંડી કરનારા કાર્ડને ક્લોન કરી શકશે નહીં અને આ રીતે થતી છેતરપિંડીના કિસ્સાઓ પણ ઓછા અથવા પુરા જ થઈ જશે.