Site icon

તહેવાર સમયે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ વેપારીઓને આપી મોટી ભેટ આયાત સંદર્ભે લીધો નિર્ણય; જાણો વિગત

તહેવારોનો સમય ચાલી રહ્યો છે એટલે દરેક ઘરમાં તેલની જરૂરીયાત તો રહેવાની જ. આવાં સમયે છેલ્લા દોઢ વર્ષથી ખાદ્ય તેલનાં ભાવ લગાતાર વધીને બે ગણા થઈ ગયા છે. તેથી સરકારને જલદી ભાવ પર અંકુશ રાખવાની આવશ્યકતા હતી. અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ લગાતાર સરકાર સાથે સંવાદ સાધીને આયાત ડ્યુટી ઘટાડવા માટે નિવેદન કરતું હતું. કેન્દ્ર સરકારે ગઈકાલે મોડી રાતે આયાત ડ્યુટી ઘટાડીને તેલનાં વેપારીઓને ખુશખુશાલ કરી દીધાં છે.

સુરતમાં છે એક હજાર કરોડના ગણપતિ, વિશ્વના સૌથી મોંઘા ગણપતિનાં કરો દર્શન

Join Our WhatsApp Community

આ સંદર્ભે અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારનાં આ નિર્ણયને અમે આવકારીએ છીએ. તેમનું કહેવું છે કે ભારત વિદેશી તેલો પર નિર્ભર છે. ભારતે ઘરેલુ વપરાશના 65% કરતાં પણ વધુ તેલ આયાત કરવું પડે છે. જ્યારે તેલનાં ભાવોનું સંપૂર્ણ નિયંત્રણ વિદેશી બજારો પાસે છે. તેથી તેલનો ભાવ ઘટાડવા માટે  આયાત ડ્યુટીમાં ઘટાડો કરવો તે એક જ ઉપાય હતો. આથી સરકાર દ્વારા સીપીઓ, ક્રૂડ ડિગમ સોયા અને ક્રૂડ સનફ્લાવર તેલ પર 30.25 થી 24.75 એટલે કે 5.5%નો ઘટાડો કર્યો છે. અને રિફાઇન્ડ પામોલિન તેલ પર 41.25 થી 35.75 એટલે કે 5.5% નો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કૃષિ કલ્યાણ સેસને મળીને છે. આ ઘટાડાથી તેલોના ભાવ 2 રૂપિયા સુધી ઘટશે.

Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Gold-Silver Rates Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું! ચાંદીના ભાવમાં ₹૨૧૦૦નો કડાકો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
Exit mobile version