Site icon News Continuous Bureau | Mumbai

CIBIL: જાણો સિબિલ માં વિલંબિત અપડેટથી લોન અને વ્યાજદર પર કેવી અસર થઈ શકે છે

CIBIL: લોનના અરજદારો માટે વિલંબિત ક્રેડિટ સ્કોર અપડેટ એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જેના કારણે લોન નકારી શકાય છે અથવા ઊંચા વ્યાજદર પર મળી શકે છે.

CIBIL જાણો સિબિલ માં વિલંબિત અપડેટથી લોન અને વ્યાજદર પર કેવી અસર થઈ શકે છે

CIBIL જાણો સિબિલ માં વિલંબિત અપડેટથી લોન અને વ્યાજદર પર કેવી અસર થઈ શકે છે

News Continuous Bureau | Mumbai
CIBIL ભારતમાં ક્રેડિટ બ્યુરો સાથે માહિતી અપડેટ થવામાં થોડા અઠવાડિયાના વિલંબથી પણ કોઈ વ્યક્તિને લોન મળશે કે કેમ, કેટલું વ્યાજ ચૂકવવું પડશે અથવા તો તેની અરજી નકારવામાં આવશે તે નક્કી થઈ શકે છે. ધારો કે તમને કોઈ કટોકટી માટે તાત્કાલિક પર્સનલ લોન અથવા તમારું પહેલું ઘર ખરીદવા માટે ક્રેડિટની જરૂર છે. તમે તમારા તમામ દેવાં ચૂકવી દીધા છે અને માનો છો કે તમારો રેકોર્ડ સ્વચ્છ છે. પરંતુ જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમારી અરજી નકારી દે છે કારણ કે તમારો ક્રેડિટ સ્કોર હજુ અપડેટ થયો નથી. ભારત માં લોન લેનારાઓ માટે આ એક વાસ્તવિકતા બની ગઈ છે.મીડિયા સાથે વાત કરતા કેટલાક લોકોએ જણાવ્યું કે, વિલંબિત અપડેટ થવાને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

શા માટે ક્રેડિટ સ્કોર અપડેટ થવામાં વિલંબ થાય છે?

બેંકો અને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ વ્યક્તિને લોન આપવી કે કેમ અને કયા દરે આપવી તે નક્કી કરવા માટે આ સ્કોર પર આધાર રાખે છે. પરંતુ લોન લેનારાઓ કહે છે કે જ્યારે અપડેટ્સમાં વિલંબ થાય છે, ભૂલો ઝડપથી સુધારાતી નથી, અથવા બંધ થયેલા ખાતા હજી પણ સક્રિય તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે આ સિસ્ટમ વારંવાર નિષ્ફળ જાય છે. એક્સપર્ટ્સ અનુસાર, રેકોર્ડ્સ અપડેટ કરવામાં ટૂંકા વિલંબથી પણ લોન લેનારની તકો પર અસર પડી શકે છે. ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો સુધારવામાં વિલંબ થવાથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે, જેના કારણે લોન અરજી નકારી શકાય છે અથવા લોન ઊંચા વ્યાજદરે મંજૂર થઈ શકે છે

Join Our WhatsApp Channel

.વિલંબિત અપડેટ્સથી લોન લેનારાઓ ને કેવી રીતે અસર થાય છે?

ક્રેડિટ સ્કોરના વિલંબિત અપડેટ્સ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તાજેતરના સકારાત્મક ફેરફારો, જેમ કે દેવું ચૂકવવું અથવા બિલ ભરવા, ક્રેડિટ રિપોર્ટમાં ઝડપથી અપડેટ ન થાય, તો લેન્ડર્સ જૂનો સ્કોર જોઈ શકે છે, જેના પરિણામે વ્યાજદર વધી શકે છે, ઉધાર લેવાના વિકલ્પો મર્યાદિત થઈ શકે છે અથવા તો અરજી નકારી પણ શકાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કડક સમયમર્યાદા લાગુ કરી છે. જાન્યુઆરી ૨૦૨૫ થી, બેંકો અને ક્રેડિટ બ્યુરો એ માસિક અથવા લાંબા સમયના ચક્રને બદલે દર ૧૫ દિવસે રેકોર્ડ અપડેટ કરવા પડશે. આ મહત્વપૂર્ણ પગલું લોન લેનારાઓ માટે ઝડપી, વધુ સચોટ અને યોગ્ય ક્રેડિટ મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : India: અમેરિકાના દબાણ વચ્ચે સપ્ટેમ્બરમાં રશિયન ઓઇલ ની આયાત પર ભારત લઇ શકે છે આ નિર્ણય, જાણો શું કહે છે અહેવાલ

તમારી જાતને કેવી રીતે બચાવશો?

એક્સપર્ટ્સ સૂચવે છે કે લોન લેનારાઓએ તેમના રિપોર્ટ્સ ને સક્રિયપણે મોનિટર કરવા જોઈએ. જો તમારા ક્રેડિટ રિપોર્ટમાં તાજેતરની લોન ચૂકવણી અથવા બાકી રકમનો સમાવેશ થતો નથી, તો તમે ક્રેડિટ બ્યુરોની વેબસાઇટ પર લોગિન કરીને અને વિવાદ નિવારણ ફોર્મ સબમિટ કરીને અથવા સીધા તેમનો સંપર્ક કરીને તેને સરળતાથી સુધારી શકો છો. તમારા ક્રેડિટ રિપોર્ટની નિયમિત સમીક્ષા કરવી, આદર્શ રીતે દર ક્વાર્ટરમાં એક વાર, માહિતગાર રહેવા અને જરૂર પડે તો સુધારાત્મક કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ છે. જો તમે નજીકના ભવિષ્યમાં લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો, તો તે ભૂલ-મુક્ત છે તેની ખાતરી કરવા માટે તમારા ક્રેડિટ સ્કોર ને વધુ વાર તપાસવાનું વિચારો. કોઈપણ વિવાદની સ્થિતિમાં, ચુકવણી રસીદો, બેંક સ્ટેટમેન્ટ્સ અને લોન ક્લોઝર પત્રો જેવા પુરાવા રાખવા પણ ખૂબ જ જરૂરી છે.

RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
E85 Flex Fuel Launch|વાહન ચાલકો માટે લોટરી! પેટ્રોલ કરતાં ૨૦ સસ્તા ભાવે વેચાશે આ નવું ઇંધણ, જાણો તમારા શહેરમાં ક્યાં મળશે?
India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ… છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા
India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ… છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા
Exit mobile version