Site icon

RBI Data: દેશમાં હાલ લોકો સૌથી વધુ ગોલ્ડ લોન અને સોનું ગીરવે મુકી રહ્યા છે.. RBIએ આપ્યા આ ચોંકવનારા આંકડાઓ

RBI Data: આરબીઆઈના ડેટા અનુસાર, ભારતીયોએ 2023-24માં રૂ. 1 લાખ કરોડથી વધુ ઉધાર લેવા માટે તેમના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા, જે 2018-19ની તુલનામાં લગભગ પાંચ ગણા વધુ હતા.

Currently people are taking maximum gold loan and gold as collateral in the country.. RBI gave these shocking figures ..

News Continuous Bureau | Mumbai 

RBI Data: દેશમાં હાલ ચૂંટણી માહોલ સર્જાયો છે. જેની વચ્ચે RBI તરફથી મળેલી એક માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે હાલ આ મંદીના માહોલમાં લોકોને સોનાના ઘરેણા , ઝવેરાત અને મંગળસૂત્ર પણ ગિરવે રાખવાની નોબત આવી ગઈ છે. કોવિડ રોગચાળા બાદના સમયમાં ભારતીય પરિવારોએ તેમનું સોનું ( Gold ) સૌથી વધુ વખત ગિરવે રાખવું પડ્યું હતું. 

Join Our WhatsApp Community

કૌટુંબિક ચાંદી વેચવા માટે અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે, જેનો ઉપયોગ નિરાશાના સમયમાં થાય છે, જેને ભારતમાં કૌટુંબિક સોનાને ગિરવે રાખવું કહેવામાં આવે છે. જેમાં ભારતીય પરિવારો તાજેતરમાં ચિંતાજનક રીતે ઝડપી ગતિએ તેમનું સોનું ( gold jewelry )  ગીરવે મુકીને કરી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના ડેટા મુજબ, ભારતીયોએ 2023-24માં રૂ. 1 લાખ કરોડથી વધુ ઉધાર લેવા માટે તેમના સોનાના દાગીના ગિરવે મુક્યા હતા, જે તેઓ 2018-19માં કરતા લગભગ પાંચ ગણા વધુ હતા. તાજેતરના સમયમાં ગોલ્ડ લોનમાં ( Gold Loan ) આ સૌથી ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. જો કે આને રોકવા માટે, આરબીઆઈએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને ચેતવણી આપવી પડી હતી. એકંદર વ્યક્તિગત લોનમાં ગોલ્ડ લોનનો હિસ્સો કોવિડ-19 દરમિયાન માર્ચ 2019માં 1 ટકાથી લગભગ અઢી ગણો વધીને માર્ચ 2021માં આશરે 2.5 ટકા અને ફેબ્રુઆરી 2024માં 2 ટકા થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Weather News : Summer મહારાષ્ટ્રમાં ગરમીનું મોજું! મુંબઈ સહિત કોંકણમાં ઉનાળાની ગરમી; વિદર્ભ, મરાઠવાડામાં કમોસમી વરસાદ

 RBI Data: કોવિડ-19 દરમિયાન ગોલ્ડ લોનનો હિસ્સો લગભગ 2.5 ટકા વધી ગયો હતો..

હાલ દેશમાં પરિવારો માટે તેમના સોનાના દાગીના ગિરવા મુકવા અને મુશ્કેલ સમયમાં રોકડ ઉધાર લેવું એ ભારતમાં સાંસ્કૃતિક અને સામાજિક નિંદા છે. અત્યંત કપરી આર્થિક પરિસ્થિતિમાં જ પરિવારોને આ પગલું ભરવાની ફરજ પડે છે. તેથી આરબીઆઈના આ ડેટામાં પ્રતિબિંબિત થાય છે કે કોવિડ દરમિયાન વ્યક્તિગત લોન માટે ગોલ્ડ મોર્ટગેજનો ( Gold mortgages ) હિસ્સો તેની ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે લોકોની આર્થિક સ્થિતિ ક્રૂર બની ગઈ હતી. તો પછી, શા માટે ભારતીય પરિવારો અત્યારે પણ આટલી ચિંતાજનક ગતિએ ઉધાર લેવા માટે તેમનું સોનું ગિરવે મુકવાનું રાખવાનું ચાલુ રાખે છે? તો આ માટે હાલ અનુમાન છે કે, તાજેતરમાં સતત મોંધવારી વધી રહી છે. તેમજ આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે તેમજ નાના બિઝનેસ ચાલુ કરવા માટે પણ પરિવારો ગોલ્ડ લોન તરફ આગળ વધે છે. તેથી પણ આ આંકડો વધી રહ્યો હોવાની શક્યતા છે.

તેથી ભવિષ્યમાં આ આંકડો ઘટાડવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી નકકર પગલા લેવા ખુબ જ જરુરી બની રહે છે. તેમજ આ માટે વૈકલ્પિક ઉકેલો પણ લાવવા જરુરી બની રહે છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version