Site icon

મોટા સમાચાર: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

News Continuous Bureau: Mumbai

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી નું મુંબઈના પાલઘર વિસ્તારમાં રોડ એકસીડન્ટમાં મૃત્યુ થયું છે. પોલીસ વિભાગે આ એકસીડન્ટની પુષ્ટિ કરી છે. તેઓ 54 વર્ષના હતા. ઘટના સ્થળ પર મોજુદ લોકોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે એક્સિડન્ટ થયો. જ્યારે એકસીડન્ટ થયો ત્યારે એક મહિલા ગાડી ચલાવી રહી હતી. આ ઉપરાંત ગાડીમાં બેઠેલા કુલ ચાર લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે બે લોકો જીવિત છે.

Join Our WhatsApp Community

મુંબઈ થી નજીક આવેલા પાલઘર વિસ્તારમાં સુર્યા નદી ઉપર આવેલા પુલ પર ગાડી રોડ ડીવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ એકસીડન્ટ થયો જેમાં ઘટના સ્થળ પર સાયરસ મિસ્ત્રી નું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી એ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. તેમજ તેઓ ટાટા સમૂહના અધ્યક્ષ પદ સંદર્ભે ની કોર્ટની લડાઈ જીતી ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાં રતન ટાટા એ કેસ જીતી લીધો હતો.

નોંધનીય બાબત એ છે કે તેમના પિતા શાપુરજી પાલનજી નું ચાલુ વર્ષે જ નિધન થયું હતું.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version