Site icon

મોટા સમાચાર: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

News Continuous Bureau: Mumbai

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી નું મુંબઈના પાલઘર વિસ્તારમાં રોડ એકસીડન્ટમાં મૃત્યુ થયું છે. પોલીસ વિભાગે આ એકસીડન્ટની પુષ્ટિ કરી છે. તેઓ 54 વર્ષના હતા. ઘટના સ્થળ પર મોજુદ લોકોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે એક્સિડન્ટ થયો. જ્યારે એકસીડન્ટ થયો ત્યારે એક મહિલા ગાડી ચલાવી રહી હતી. આ ઉપરાંત ગાડીમાં બેઠેલા કુલ ચાર લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે બે લોકો જીવિત છે.

Join Our WhatsApp Community

મુંબઈ થી નજીક આવેલા પાલઘર વિસ્તારમાં સુર્યા નદી ઉપર આવેલા પુલ પર ગાડી રોડ ડીવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ એકસીડન્ટ થયો જેમાં ઘટના સ્થળ પર સાયરસ મિસ્ત્રી નું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી એ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. તેમજ તેઓ ટાટા સમૂહના અધ્યક્ષ પદ સંદર્ભે ની કોર્ટની લડાઈ જીતી ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાં રતન ટાટા એ કેસ જીતી લીધો હતો.

નોંધનીય બાબત એ છે કે તેમના પિતા શાપુરજી પાલનજી નું ચાલુ વર્ષે જ નિધન થયું હતું.

New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
LPG Charges:ગ્રાહકો લૂંટાતા અટકાવવા સરકારનો મોટો નિર્ણય: હોટલોમાં વધારાના ચાર્જ વસૂલનારાઓ સામે થશે કડક કાર્યવાહી.
Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Exit mobile version