Site icon

Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.

Anil Ambani: બેંક ઓફ બરોડાની ફરિયાદના આધારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) વિરુદ્ધ એક્શન; ફંડ ડાયવર્ઝન અને દસ્તાવેજોમાં હેરાફેરીના આક્ષેપ સાથે અંબાણીના નિવાસસ્થાને દરોડા.

Double Blow for Anil Ambani CBI Files New Case in ₹2220 Crore Bank Fraud After ED Attaches His Mumbai Residence.

Double Blow for Anil Ambani CBI Files New Case in ₹2220 Crore Bank Fraud After ED Attaches His Mumbai Residence.

News Continuous Bureau | Mumbai

 રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી માટે કાયદાકીય સંકટ ઘેરાઈ રહ્યું છે. ED દ્વારા મુંબઈમાં તેમના ૧૭ માળના આલીશાન ઘરને કામચલાઉ ધોરણે ટાંચમાં લીધા બાદ, હવે CBIએ બેંક ઓફ બરોડા સાથે ₹૨,૨૨૦ કરોડની છેતરપિંડીના આરોપસર FIR નોંધી છે. CBIએ આ મામલે અંબાણીના નિવાસસ્થાન અને ઓફિસો પર દરોડા પાડી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.આ કેસ ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે લેવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે. આરોપ છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) દ્વારા જે હેતુ માટે લોન લેવામાં આવી હતી, તેનો ઉપયોગ ત્યાં કરવાને બદલે અન્ય જગ્યાએ કરવામાં આવ્યો હતો, જેનાથી બેંકને મોટું આર્થિક નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

ફંડ ડાયવર્ઝન અને દસ્તાવેજોમાં હેરાફેરી

ફરિયાદ મુજબ, RCom અને તેની સહયોગી કંપનીઓએ વિવિધ બેંકો પાસેથી કુલ ₹૩૧,૫૮૦ કરોડની લોન લીધી હતી. ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ભંડોળનો મોટો હિસ્સો અન્ય બેંકોના દેવા ચૂકવવા અને સંબંધીઓને ચૂકવણી કરવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. બેંકનો દાવો છે કે લોનની રકમનો વ્યવસ્થિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે અને શરતોનું ઉલ્લંઘન થયું છે.

આ સમાચાર પણ વાંચો : MODI IN ISRAEL: પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ, ૨૭ કરારો સાથે ભારત પરત ફરશે; એરપોર્ટ પર ભાવુક વિદાયના દ્રશ્યો..

NPA થી છેતરપિંડી સુધીની સફર

અનિલ અંબાણીની કંપનીના ખાતાને ૫ જૂન ૨૦૧૭ના રોજ નોન-પરફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેંકે તેને છેતરપિંડીની શ્રેણીમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે આ પ્રક્રિયા પર સ્ટે આપ્યો હતો, જે ૨૩ ફેબ્રુઆરીએ હટાવી લેવામાં આવ્યો છે. સ્ટે હટતા જ બેંકે CBIમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ED અને CBIનો બેવડો ગાળિયો

એક તરફ CBI લોન છેતરપિંડીની તપાસ કરી રહી છે, તો બીજી તરફ ED મની લોન્ડરિંગના કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ કરી રહી છે. તાજેતરમાં જ તેમની ૯ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે આ પહેલા અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ પણ ₹૨૨૮ કરોડના ફ્રોડ મામલે CBIએ તપાસ શરૂ કરી છે, જેનાથી સમગ્ર અંબાણી પરિવાર પર કાયદાકીય દબાણ વધ્યું છે.

Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ આસમાને, આજે ચાંદીએ લગાવી ₹૭,૦૦૦ની છલાંગ; જાણો આજનો નવો ભાવ.
US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.
Exit mobile version