Site icon News Continuous Bureau | Mumbai

રિર્ઝવ બેન્કના 30 જુલાઈથી અમલમાં આવનારા આ નવા નિયમને કારણે કંપનીઓના કરન્ટ એકાઉન્ટ બંધ થઈ જશે.જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,21 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

બુધવાર.

રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમને કારણે એકથી વધુ બેન્ક પાસેથી ધિરાણ (ક્રેડીટ) લેનારી કંપનીઓના કરન્ટ એકાઉન્ટ હવે અમુક બેન્ક રાખી શકશે નહીં. જે બેન્કનું ધિરાણ કુલ ધિરાણના 10 ટકાથી ઓછું હોય એવી બેન્કો આ કંપનીઓના કરન્ટ એકાઉન્ટ હવેથી રાખી શકશે નહીં. રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાનો આ નિયમ 30 જુલાઈથી અમલમાં આવવાનો છે. આ નિયમ અમલમાં આવવાથી અનેક બેન્કોએ તેમના મોટા કરન્ટ એકાઉન્ટ ગુમાવવા પડશે.

પંદર દિવસ પહેલા આ મુજબનો સર્ક્યુલર રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ બહાર  પાડયો છે. હકીકતમાં ગયા  વર્ષના ઓગસ્ટ મહિનાથી જ RBI આ પગલું લેવાની હતી. પરંતુ અનેક બેન્કોએ તેની સામે વાંધો લીધો હતો.  કરન્ટ એકાઉન્ટ પર જમા રહેલા પૈસા પર બેન્ક કોઈ વ્યાજ ચૂકવતી નથી. તેથી કંપનીઓના આવા એકાઉન્ટ બેન્કો માટે હંમેશાથી ફાયદામંદ રહ્યા છે.

નવા નિયમ અનુસાર બેન્ક ધિરાણમાં  આ હેતુસર લોન, ગેરન્ટી  અને ઓવર ડ્રાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કંપનીઓએ  બધી બેન્કો પાસેથી લીધેલા કુલ ધિરાણમા જે બેન્કનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે તેમણે હવે આવી  કંપનીઓના કરન્ટ એકાઉન્ટ બંધ કરવા પડશે.

આ તો કેવી આફત? વસઈ, વિરારમાં બે દિવસના મુસળધાર વરસાદમાં ફૅક્ટરીઓમાં છથી સાત ફૂટ ભરાયાં પાણી : વેપારીઓને થયું કરોડો રૂપિયાનું નુકસાન; જાણો વિગત

નિષ્ણાતોના કહેવા મુજબ  કંપનીઓ દ્વારા થતી પૈસાની હેરફેર રોકવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કંપનીનો કરન્ટ એકાઉન્ટ અને તેણે જેની પાસેથી ધિરાણ લીધું હોય તે બંને બેન્કો એક જ હશે તો કંપનીઓને  પૈસાની હેરફેરમાં મુશ્કેલી થઈ શકે છે. નવા નિયમમાં મ્યુચ્યુલ ફંડ અને ઈન્શયોરન્સ કંપનીઓને બાકત રાખવામાં આવી છે.

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version