Site icon

એલોન મસ્કના ટ્વિટર ની હાલત ખરાબ! ભારતમાં તેની બે ઓફિસને મારી દીધા તાળાં, કર્મચારીઓને આપી દીધો આ આદેશ

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતમાં ટ્વિટરની બે ઓફિસો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતમાં ત્રણમાંથી બે ઓફિસને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.

Now, you can earn double revenue from Twitter: Here's how

Now, you can earn double revenue from Twitter: Here's how

News Continuous Bureau | Mumbai

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતમાં ટ્વિટરની બે ઓફિસો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતમાં ત્રણમાંથી બે ઓફિસને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.

Join Our WhatsApp Community

હકીકતમાં, એલોન મસ્ક ટ્વિટરના ખર્ચને ઘટાડવા માટે સતત ફેરફારો કરી રહ્યા છે. આ અંતર્ગત 2022માં છટણી કર્યા પછી એલોન મસ્ક હવે ટ્વિટર ઓફિસો બંધ કરી રહ્યા છે. અહેવાલો મુજબ મસ્કની આગેવાની હેઠળની સોશિયલ મીડિયા કંપનીએ ભારતમાં દિલ્હી અને મુંબઈમાં તેની ટ્વિટર ઓફિસ બંધ કરી દીધી છે. છે અને સ્ટાફને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. મસ્કે અગાઉ ભારતમાં તેના આશરે 200થી વધુ સ્ટાફમાંથી 90 ટકા સ્ટાફને કાઢી મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શિવસેના સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથને આપ્યો ઝટકો, હવે આ તારીખે થશે ફરી સુનાવણી; જાણો આજે શું થયું કોર્ટમાં 

ઉલ્લેખનીય છે કે, ટ્વિટરની ભારતમાં ત્રણ ઓફિસ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં છે. જોકે આ નિર્ણય બાદ હવે ભારતમાં ટ્વિટરની માત્ર એક જ ઓફિસ બાકી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક ટ્વિટરની નાણાકીય સ્થિતિ સુધારવામાં વ્યસ્ત છે. 2023 ના અંત સુધીમાં, તે ટ્વિટરને આર્થિક રીતે સ્થિર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ અંતર્ગત તેમણે મોટા પાયે કર્મચારીઓની છટણી જ નથી કરી, પરંતુ ટ્વિટરની ઓફિસ સેવાઓમાં પણ કાપ મૂક્યો છે.

PM Modi Malaysia Visit 2026: વર્ષો બાદ PM મોદી મલેશિયાની ધરતી પર! જાણો કેમ આ પ્રવાસ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને શું છે એજન્ડા?
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
India-US Trade Deal: ખેતીથી વેપાર સુધી… અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતને શું થયો ફાયદો? સમજો આખું ગણિત.
Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Exit mobile version