Site icon

પ્રશાસનથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા સંદર્ભે ફામની યોજાઈ મિટિંગ; લેવાયો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાને કારણે લદાયેલા લૉકડાઉનથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવા છતાં પ્રશાસને અમલમાં મૂકેલા પ્રતિબંધોથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા અંગે આજે ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)એ આજે સાંજે મિટિંગ બોલાવી હતી અને આ સમસ્યાના ઉકેલ માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

આ મિટિંગમાં સભ્યોએ નિર્ણય કર્યો છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઈ અને તેમને હસ્તક્ષેપ માટે વિનંતી કરી ફરિયાદો રજૂ કરાશે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને દુકાનદારોની ફરિયાદોની માહિતી આપી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરવાની વિનંતી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર પાસે બે લાખ પદ ખાલી પડ્યાં છે; ખોરવાઈ રહ્યું છે જનતાનું કામકાજ, જાણો ચોંકાવનારી વિગત 

ઉલ્લેખનીય છે કે એમ છતાં જો વેપારીઓને ન્યાય નહિ મળે તો તેઓ વેપાર કરવા અને તેમનું ગુજરાન ચલાવવાના તેમના મૂળભૂત અધિકાર માટે લડત આપશે. બીજા વેપારી સંગઠનોનો ટેકો મેળવીને સાથે શાંતિપૂર્ણ જન આંદોલન શરૂ કરવામાં આવશે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version