Site icon

પ્રશાસનથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા સંદર્ભે ફામની યોજાઈ મિટિંગ; લેવાયો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાને કારણે લદાયેલા લૉકડાઉનથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવા છતાં પ્રશાસને અમલમાં મૂકેલા પ્રતિબંધોથી ત્રસ્ત વેપારીઓની સમસ્યા અંગે આજે ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)એ આજે સાંજે મિટિંગ બોલાવી હતી અને આ સમસ્યાના ઉકેલ માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

આ મિટિંગમાં સભ્યોએ નિર્ણય કર્યો છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લઈ અને તેમને હસ્તક્ષેપ માટે વિનંતી કરી ફરિયાદો રજૂ કરાશે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને દુકાનદારોની ફરિયાદોની માહિતી આપી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરવાની વિનંતી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર પાસે બે લાખ પદ ખાલી પડ્યાં છે; ખોરવાઈ રહ્યું છે જનતાનું કામકાજ, જાણો ચોંકાવનારી વિગત 

ઉલ્લેખનીય છે કે એમ છતાં જો વેપારીઓને ન્યાય નહિ મળે તો તેઓ વેપાર કરવા અને તેમનું ગુજરાન ચલાવવાના તેમના મૂળભૂત અધિકાર માટે લડત આપશે. બીજા વેપારી સંગઠનોનો ટેકો મેળવીને સાથે શાંતિપૂર્ણ જન આંદોલન શરૂ કરવામાં આવશે.

Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Airlines Seat Booking Rules: પ્લેનમાં મનપસંદ સીટ બુક કરાવવી હવે થશે સસ્તી, એરલાઈન્સ કંપનીઓ મનફાવે તેમ વસૂલી નહીં શકે ચાર્જ; જાણો નવા નિયમો.’
Exit mobile version