Site icon

લૉકડાઉનના કારણે ફળ અને શાકભાજીની માંગ ઘટી, ખેડૂતોને આર્થિક નુકશાન થયું. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનથી ફળો અને શાકભાજીના ઘણા વેપારીઓની માગ અને વેચાણમાં ઘટાડો થયો છે. પરિણામે ઘણા ખેડૂતોએ તેમનાં ખેતરોમાં વાવેલાં શાકભાજી અને ફળો ખેતરમાં જ સડી ગયાં છે. એક મીડિયા અહેવાલ મુજબ ઔરદ શાહજાનીમાં ઉમાકાંત ભંડારેના ખેતરની બે એકર જમીનમાંથી સેંકડો ટન તરબૂચ વેપાર બંધ હોવાથી ખેતરમાં સડે છે.

ઉમાકાંતે તેના બે એકરના ખેતરમાં 1 લાખ રૂપિયાના ખર્ચે તરબૂચનું વાવેતર કર્યું હતું, પરંતુ આ તરબૂચની લૉકડાઉનના સમયગાળા દરમિયાન લણણી કરવામાં આવી હોવાથી તરબૂચની માગ નથી. તરબૂચ ખેતરમાં પડ્યાં હોવાથી ગામમાં વેચવા છતાં પણ ઉત્પાદન-ખર્ચ કાઢી શકાયો નથી.

આવી જ સમસ્યા ખેડૂત કન્હૈયા પાટીલની છે. તેણે તેના એક એકરના ખેતરમાં લીલાં મરચાંનું વાવેતર કર્યું હતું. મરચાના છોડમાં ઘણાં મરચાં હતાં, પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં તાળાબંધી થતાં મરચાંની માગ ઘટી ગઈ હતી. એથી આ મરચાં છોડ પર સુકાવા લાગ્યાં છે અને ઉત્પાદન-ખર્ચ જેટલું વેચાણ કરવું પણ મુશ્કેલ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનથી અનેક વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોની  અપેક્ષા છે કે સરકાર તેમને સહાય પૂરી પાડે.

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version