Site icon

કોરોનાની માઠી અસર: દશેરાના દિવસે કારનાં વેચાણમાં 30% તો ટુ-વ્હીલરમાં 25% ઘટાડો નોંધાયો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

26 ઓક્ટોબર 2020

કોરોનાની મહામારી વચ્ચે દશેરાના તહેવારમાં કાર અને ટુ વ્હીલરના વેચાણમાં 25 ટકા ઘટાડો થયો છે. કોરોના કાળ અને મંદીના માહોલ વચ્ચે કાર અને ટુ વ્હીલર કંપનીઓ દ્વારા વિવિધ ઓફર્સ અને સ્કીમો રાખવામાં આવી હોવા છતા આ વખતે વેચાણ ઓછુ થયુ છે. જોકે વેચાણ ઓછુ થશે એવી ગણતરી કંપનીઓને પહેલેથી જ હતી. જેના લીધે ફોર વ્હીલરમાં વિવિધ કંપનીઓ દ્વારા ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટ પૂરો થતા ફોર વ્હીલ કંપનીના કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો.જયારે ટુ વ્હીલરના વેચાણમાં પણ 25 ટકાનુ ગાબડું પડયુ હતુ. તો કેટલીક ફોર વ્હીલર અને ટુ વ્હીલર કંપનીઓ દ્વારા ફ્રી એસસરીઝ, 50 ટકા વીમાની રકમ કંપની ભરશે તેવી લાલચો અપાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે ડિલરો કોરોનાની મહામારીને લીધે છેલ્લા સાત માસથી મંદીનો સામનો કરી રહ્યા છે. જેની સીધી અસર દશેરાના તહેવાર ઉપર ના પડે તે માટે ફોર વ્હીલર કાર અને ટુ વ્હીલર કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટની ઓફરો સાથે એસેસરીઝ ફ્રી નાખી આપવાની લાલચો અપાઈ હતી. તેમ છત્તા અમદાવાદમાં 700 જેટલી કારો અને 7500 જેટલા ટુ -વ્હીલરનું વેચાણ થયું હતું. કેટલાક ડિલરો અને એસોસિયેશન સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કારમાં 30 ટકા અને ટુ વ્હીલરના વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version