Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદના નામે મીઠાઈની આડમાં ચાલી રહી છે છેતરપિંડી.. હવે આ ઈ- કોમર્સ પ્લેટફોર્મને ફટકારી નોટીસ..

Ayodhya Ram Mandir: દેશમાં સમગ્ર તરફ જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. ત્યારે હાલ ઈ- કોર્મસ સાઈટો પર અયોધ્યા રામ મંદિરના નામે ઘણી છેતરપિંડીઓ વધી છે. આ સંદર્ભે હવે CCPA દ્વારા એમેઝોનને અયોધ્યાના નામે ખાર્ધ પ્રોડક્ટ વેંચવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.

Fraud is going on in the name of Sri Ram Mandir Ayodhya Prasad in the guise of sweets.. Now this e-commerce platform has been hit with a notice..

Fraud is going on in the name of Sri Ram Mandir Ayodhya Prasad in the guise of sweets.. Now this e-commerce platform has been hit with a notice..

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir: ઈ-કોમર્સ વેબસાઈટ પર અયોધ્યાના નામે મીઠાઈઓ ( Sweets ) વહેંચવાની ઘણી છેતરપિંડી થઈ રહી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી ( CCPA ) એ આ જ સંદર્ભે એમેઝોનને ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ ના નામે મીઠાઈઓ વેચવા બદલ નોટિસ ફટકારી છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે CCPA એ નોટિસ જારી થયાના સાત દિવસની અંદર એમેઝોન પાસેથી જવાબ માંગ્યો છે. અન્યથા તેમની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓ હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ચીફ કમિશનરે નેતૃત્વમાં, CCPAએ ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ નામથી ( Amazon ) એમઝોન પ્લેટફોર્મ પર મીઠાઈના વેચાણના સંબંધમાં Amazon Seller Services Pvt Ltd સામે કાર્યવાહી શરૂ કરી છે. 

Join Our WhatsApp Channel

વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ( CAIT )  ના રિપોર્ટના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમેઝોન ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ની ( Shri Ram Mandir Ayodhya Prasad ) આડમાં મીઠાઈના વેચાણ સાથે સંબંધિત ભ્રામક વેપાર પ્રથાઓમાં સામેલ છે. CCPA એ અવલોકન કર્યું છે કે ‘ શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ હોવાનો દાવો કરતા એમેઝોન ( E-commerce website ) ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વિવિધ મીઠાઈઓ/ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે.

કોઈપણ ઈ-કોમર્સ કંપની અયોગ્ય વેપાર વ્યવહાર અપનાવશે નહીં…

CAIT તરફથી ફરિયાદ મળ્યા પછી, તપાસમાં જાણવા મળ્યું કે અમેઝોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ હોવાનો દાવો કરીને વિવિધ મીઠાઈઓ અને ખાદ્ય ઉત્પાદનો વેચવામાં આવી રહી છે. ખોટી માહિતી આપીને ખાદ્ય ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. આવી પ્રથાઓ ગ્રાહકોની ખરીદ શક્તિને અસર કરે છે.

આ સમાચાર પણ વાંચો : Forbes Report: ભારતનું ગોલ્ડ રિઝર્વ વધ્યું.. સોનાના રિઝર્વ કરવાના મામલે આ દેશોને છોડ્યા પાછળ.. જુઓ સંપુર્ણ ટોપ 10 યાદી…

અગાઉ, CAIT જનરલ સેક્રેટરી અને ખાદ્ય ઉપભોક્તા બાબતોના પ્રધાન મળ્યા હતા અને તેમને એમેઝોન વિરુદ્ધ ફરિયાદ પત્ર આપ્યો હતો. જેમાં તપાસની સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી.)

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
QR Code ReKYC Deadline સાવધાન વેપારીઓ! 15 સપ્ટેમ્બર નજીક આવતાં જ QR કોડ બંધ થવાની ભીતિ, તાત્કાલિક કરો આ કામ
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Exit mobile version