Site icon

વેપારીઓનો દેશવ્યાપી “વ્યાપારી સંવાદ”, આવતી કાલથી ભારતના રીટેલ વેપાર પર CAIT કરશે સર્વેક્ષણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

 સરકાર દ્વારા બહુપ્રતીક્ષિત ઈ-કોમર્સ નીતિ અને રાષ્ટ્રીય છૂટક નીતિના અમલીકરણમાં વિલંબ અને GST કરવેરા પ્રણાલીમાં વધતી જતી જટિલતાઓ અને દેશના વેપારીઓ પરના સર્વાંગી હુમલાઓ વચ્ચે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આવતી કાલથી  એક મહિના માટે મેગા રાષ્ટ્રીય અભિયાન "વ્યાપારી સંવાદ"  શરૂ થઈ રહ્યો છે, જે હેઠળ CAIT ભારતના છૂટક વેપાર પર એક સર્વે પણ કરશે. 

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરના જણાવ્યા મુજબ આ સર્વે રિટેલ બિઝનેસની સંભવિતતા, વેપારીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને સૂચક ઉપાયાત્મક પગલાંની દ્રષ્ટિએ સૌથી મોટો સર્વે હશે.

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મીડિયા રિલીઝમાં CAIT રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારતમાં છુટક વેપાર લગભગ 130 લાખ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર કરે છે. પરંતુ આ ક્ષેત્ર કે જે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે, તેની માટે કેન્દ્ર અને રાજ્યો બંને પાસે કોઈ આંતરિક મંત્રાલય નથી અને કોઈ પોલિસી પણ નથી. તેથી CAITએ વેપારી સમુદાયની તાકાતને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે, જે ભવિષ્યમાં વોટ બેંકમાં પરિવર્તિત થશે. દેશમાં દરેક વસ્તુ વોટબેંકની રાજનીતિથી નક્કી થાય છે, તો શા માટે વેપારીઓ પાછળ રહે ?

Economic Survey 2022 પહેલા શેરબજારની મજબૂત શરૂઆત, કારોબારી સપ્તાહના પ્રથમ સત્રમાં સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો 
 
CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી.સી.ભરતિયાએ પ્રેસ રિલીઝ માં જણાવ્યું હતું કે વેપારી સંવાદ નામના એક મહિનાના રાષ્ટ્રીય અભિયાન દરમિયાન CAIT દેશભરના 40 હજારથી વધુ ટ્રેડ યુનિયનો દ્વારા કરોડો વેપારીઓ સુધી પહોંચશે અને વેપારીઓ વચ્ચે એક પ્રકારનો સંવાદ રચશે .લોક અભિપ્રાય પણ બનશે.  ઈ-કોમર્સ અને GST સંબંધિત મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત અને વેપારીઓને વોટ બેંકમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત પર ભૌતિક અને ડિજિટલ એમ બંને રીતે ઓપિનિયન પોલ પણ હાથ ધરવામાં આવશે. 

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ ઈ-કોમર્સ અને GST કરવેરા પ્રણાલી પર સરકારની કામગીરી અસંતોષજનક છે. ભારતમાં મોટી ઈ-કોમર્સ કંપનીઓ આ કાયદા અને નિયમોનું સતત ઉલ્લંઘન કરી રહી છે કે જેના પર ગાંજા જેવી પ્રતિબંધિત વસ્તુઓના વેચાણની સુવિધા આપવાનો આરોપ છે. આ કંપનીઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા જરૂરી વિસ્ફોટકો વડે બોમ્બ બનાવવા માટે તેમના પોર્ટલનો ઉપયોગ કરે છે. આ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. કોઈ પગલાં લેવાને બદલે વિવિધ સરકારો સાથે હાથ મિલાવીને વિવિધ ક્ષેત્રોના કથિત સશક્તિકરણની આડમાં પોતાની રમત રમે છે. જ્યારે પણ કોઈ અધિકારી આ કંપનીઓ સામે તપાસ કરે છે ત્યારે સંબંધિત અધિકારીની બદલી કરી દેવામાં આવે છે. 

1 ફેબ્રુઆરી, 2022થી 28 ફેબ્રુઆરી 2022 સુધી ચાલનારા "વ્યાપારી સંવાદ" અભિયાન માટે CAITના પદાધિકારીએ પ્રેસ રિલીઝ માં જણાવ્યું હતું કે “CAIT એ વિવિધ રાજ્યોમાં લગભગ 1200 સો શહેરોની ઓળખ કરી છે, જયા સામાન્ય વેપારીઓ સુધી પહોંચવા અને ફરિયાદોના નિવારણ માટે તેમને દેશમાં વોટ બેંકમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે CAIT દ્વારા રચિત બિઝનેસ લીડર્સની એક વિશેષ ટીમ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવશે. 

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version