Site icon News Continuous Bureau | Mumbai

લાગી લોકોની હાય! કંગાળ થઈ ગયો ભાગેડુ નીરવ મોદી, 14000 કરોડની છેતરપિંડી કરનારના ખાતામાં હવે માત્ર આટલા રૂપિયા…

Fugitive Nirav Modi's company has only Rs 236 in bank account: Report

લાગી લોકોની હાય! કંગાળ થઈ ગયો ભાગેડુ નીરવ મોદી, 14000 કરોડની છેતરપિંડી કરનારના ખાતામાં હવે માત્ર આટલા રૂપિયા…

News Continuous Bureau | Mumbai

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીનું નામ કોણ નથી જાણતું… નીરવ મોદીની ગણતરી એક સમયે ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં થતી હતી અને બોલીવુડના તમામ પ્રખ્યાત કલાકારો તેની જ્વેલરી બ્રાન્ડ સાથે જોડાયેલા હતા. જોકે હવે તેની હાલત સારી નથી. એક તરફ તેને જેલમાં જીવન વિતાવવું પડે છે તો બીજી તરફ તેના બેંક ખાતા ખાલી થઈ ગયા છે.

અહીં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સમયે અબજોની સંપત્તિના માલિક રહેલા નીરવ મોદીના બેંક ખાતામાં હવે માત્ર 236 રૂપિયા બચ્યા છે. આ રકમ નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના બેંક ખાતામાં છે. કોટક મહિન્દ્રા બેંકે આવકવેરાના લેણાં સંબંધિત SBIના બેંક ખાતામાં રૂ. 2.46 કરોડ ટ્રાન્સફર કર્યા પછી આ રકમ બાકી રહી છે. અહેવાલો મુજબ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રે કુલ લેણાંનો માત્ર એક ભાગ ટ્રાન્સફર કર્યો છે.

Join Our WhatsApp Channel

કોર્ટે આ આદેશ આપ્યો

નીરવ મોદી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં કોર્ટે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ માટે લિક્વિડેટરની નિમણૂક કરી છે. પંજાબ નેશનલ બેંકે લિક્વિડેટર દ્વારા કંપનીના બેંક ખાતામાં પડેલી રકમ ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. કોર્ટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે, બંને બેંકોએ કોર્ટના આદેશનું પાલન કર્યું ન હતું.

આ સમાચાર પણ વાંચો :  સોનાની ચમક ફરી ચમકી.. એક જ દિવસમાં અધધ આટલા હજાર રૂપિયા વધ્યા, જાણો લેટેસ્ટ રેટ

લોન પર ચાલી રહ્યું છે કામ

બીજી તરફ, હાલમાં જ કેટલાક અન્ય સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીને લોન લેવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન, નીરવ મોદીને પૂછવામાં આવ્યું કે તે કોર્ટની કાર્યવાહીનો ખર્ચ કેવી રીતે પૂરો કરશે, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે લોકો પાસેથી લોન પર ચાલી રહ્યો છે, કારણ કે તેની સંપત્તિ પ્રત્યાર્પણની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ કારણે તેની પાસે મર્યાદિત સંસાધનો બચ્યા છે.

નીરવ મોદી પર આ ત્રણ કેસ

નીરવ મોદી ભારતમાં ત્રણ ગુનાહિત કેસનો સામનો કરી રહ્યો છે. પહેલો કેસ પંજાબ નેશન બેંક સાથે છેતરપિંડીનો છે. જેમાં સરકારી બેંકને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બીજો કેસ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરીને મેળવેલી રકમના મની લોન્ડરિંગનો છે. બીજો ત્રીજો કેસ સીબીઆઈની કાર્યવાહીથી સંબંધિત પુરાવા સાથે ચેડા કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો છે.

FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
RBI Loan Rules RBIનો મોટો નિર્ણય… ૨૦૨૭થી પર્સનલ અને હોમ લોનના નિયમો બદલાશે, જાણો તમારા EMI પર શું થશે અસર?
Sugar Price Hike Raksha Bandhan ૫૦, ૬૦ અને આજે ૬૫ રૂપિયા! ત્રણ દિવસમાં ખાંડના ભાવ ભડકે બળ્યા, રક્ષાબંધનનો તહેવાર બનશે મોંઘો
AJ Enterprises Deposit Fraud ડિપોઝિટ ફ્રોડ કેસમાં CA દીપક જૈનને મોટો ફટકો! મુંબઈની વિશેષ અદાલતે ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી!
Exit mobile version