Site icon News Continuous Bureau | Mumbai

Go Air Crisis: વાડિયા પરિવારની રૂ. 1900 કરોડની જમીન હવે વેચાવાની તૈયારીમાં, ગો એરને કારણે લાગ્યો મોટો ઝટકો..

Go Air Crisis: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ગો એરવેઝને આપવામાં આવેલી લોનની વસૂલાત કરવા માટે થાણેના ઘોડબંદર રોડ પર ભાયંદરપાડામાં સ્થિત વાડિયા રિયલ્ટીની 94 એકર જમીનની હરાજી કરવાનો હવે નિર્ણય લીધો છે. જેમાં તેની પ્રારંભિક કિંમત 1,965 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Go Air Crisis The Wadia family has Rs. 1900 crores of land is now ready to sell, a big blow due to go air ..

Go Air Crisis The Wadia family has Rs. 1900 crores of land is now ready to sell, a big blow due to go air ..

News Continuous Bureau | Mumbai 

Go Air Crisis: દેશની બંધ થઈ ગયેલી એરલાઈન ગો એરને ( Go Air ) કટોકટીમાંથી ઉગારવાના હવે તમામ રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. જેમાં તાજેતરમાં, Ease My Trip CEO એ  પણ હવે આ ડીલમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. તેમણે સ્પાઈસ જેટના CEO સાથે મળીને વાડિયા ગ્રુપની માલિકીની ગો એરવેઝ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, હવે નાદારીનો સામનો કરી રહેલી ગો એર માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ( Central Bank of India ) મુંબઈમાં વાડિયા ગ્રુપની 94 એકર કિંમતી જમીન વેચવાની તૈયારી કરી લીધી છે. આ જમીનની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ 1,965 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.  

Join Our WhatsApp Channel

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ગો એરવેઝને આપવામાં આવેલી લોનની વસૂલાત કરવા માટે થાણેના ઘોડબંદર રોડ પર ભાયંદરપાડામાં સ્થિત વાડિયા રિયલ્ટીની 94 એકર જમીનની હરાજી કરવાનો હવે નિર્ણય લીધો છે. જેમાં તેની પ્રારંભિક કિંમત 1,965 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. વાડિયા રિયલ્ટીની જમીન ગો એરવેઝની ગેરેન્ટર રહી હતી. જો કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત આ જમીન બેંક ઓફ બરોડા ( Bank of Baroda ) અને આઈડીબીઆઈ બેંક ( IDBI Bank ) પાસે પણ ગીરવી રાખવામાં આવી હતી.

 Go Air Crisis: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આ હરાજી 22 જુલાઈએ કરવા જઈ રહી છે…

રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આ હરાજી 22 જુલાઈએ કરવા જઈ રહી છે. એક અંદાજ મુજબ રૂ. 3,918 કરોડની લોનનો મોટો હિસ્સો આ વેચાણમાંથી વસૂલવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા માટે રિઝર્વ પ્રાઇસના 5 ટકા એટલે કે અંદાજે રૂ. 98 કરોડ જમા કરાવવાના રહેશે.

આ સમાચાર  પણ વાંચો :  International Yoga Day: સચિવ (માહિતી અને પ્રસારણ) અને સચિવ (આયુષ) એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની આઉટરીચ પ્રવૃત્તિઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી

નુસ્લી વાડિયાની માલિકીનું વાડિયા ગ્રુપ ( Wadia Group ) તેના પ્રખ્યાત બિઝનેસ બોમ્બે ડાઈંગ અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ માટે જાણીતું છે. ગયા વર્ષે વાડિયા ગ્રૂપે લોનની ચુકવણી કરવા માટે મુંબઈના વર્લીમાં આવેલી તેની જમીન પણ વેચી દીધી હતી. તો ગો એરે ગયા વર્ષે નાદારી જાહેર કરવા માટે અરજી કરી હતી.

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત
Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
Exit mobile version