Site icon

કોવિડ -19ની અસર.. 6 મહિનામાં સોનાની આયાતમાં 57% નો ઘટાડો થયો, જાણો ચાંદી કયા પહોંચી… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020

આ વર્ષનાં નાણાકીય સત્રના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર) દરમિયાન સોનાની આયાત 57 ટકા ઘટીને 6.8 અબજ ડોલર અથવા રૂ .50,658 કરોડ થઈ છે. એ જ રીતે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ચાંદીની આયાત પણ 4.63 ટકા ઘટીને રૂ. 5,543 કરોડ થઈ છે.. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડ -19 રોગચાળા વચ્ચે માંગમાં ઘટાડો થવાને કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે સોનાની આયાત દેશના ચાલુ ખાતાની ખાધ (સીએડી) ને અસર કરે છે. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં સોનાની આયાત રૂ. 1,10,259 કરોડ હતી.

Join Our WhatsApp Community

 સોના-ચાંદીની આયાતમાં ઘટાડો થવાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ ઓછી થઈ છે. આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને સીએડી કહેવામાં આવે છે. એપ્રિલ-સપ્ટેમ્બરમાં સીએડી ઘટીને 23.44 અબજ ડોલર થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 88.92 અબજ ડોલર હતી.. ભારત વિશ્વના સૌથી મોટા સોનાના આયાતકારોમાંનો એક છે. અહીં સોનાની આયાત મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે છે. ભારત વાર્ષિક 800 થી 900 ટન સોનાની આયાત કરે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 55 ટકા ઘટીને 8.7 અબજ ડોલર થઈ છે..

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version