Site icon News Continuous Bureau | Mumbai

સોનાના શોખીનો માટે સારા સમાચાર.. આટલા લાખની ખરીદી પર કોઈ ઓળખપત્રની જરૂરિયાત નથી.. બાકી બધી અફવાઓ છે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

11 જાન્યુઆરી 2021 

સોના ચાંદીના બિલને લઈને જે ગેરસમજ પ્રસરી રહી છે, તે બાદ હવે સરકારે સ્પષ્ટતા કરી છે.  જો તમે સોના, ચાંદીના ઝવેરાત ખરીદવા જઇ રહ્યા છો, તો તમારે પહેલા કેવાયસી (ઓળખ પત્ર) દસ્તાવેજો તમારી સાથે છે કે નહીં તે સમજવું પડશે.  

મહેસૂલ વિભાગ (ડીઆર) વતી કહેવામાં આવ્યું છે કે રૂ. 10 લાખ સુધીની સોના અને ચાંદીની ખરીદી પર ગ્રાહકએ કોઈ  પાન કાર્ડ કે આધાર કાર્ડ આપવાની જરૂર નથી, એટલે કે, કેવાયસી ની આવશ્યકતાઓ નથી. પરંતુ નાણાં મંત્રાલયના આદેશ મુજબ હવે 10 લાખથી વધુની રકમના લેવડદેવડનો હિસાબ ઝવેરીઓએ રાખવાનો રહેશે. આ કેસમાં જો પકડાશે તો 3-7 વર્ષની સજાની જોગવાઈ પણ છે. 

સૂત્રો કહે છે કે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સોના-ચાંદીમાં 2 લાખ રૂપિયાથી વધુની ખરીદી, કેવાયસી ફરજિયાત છે, તે વાત ખોટી અને પાયાવિહોણી છે. સૂત્રો કહે છે કે ઇન્કમટેક્સ એક્ટ 1961 ની કલમ 269ST હેઠળ ભારતમાં 2 લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહારની મંજૂરી નથી. જે એક અફવા છે. 

હકીકતમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, 28 ડિસેમ્બર 2020 ના રોજ, મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ, 2002 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ની માંગ છે. 

નોંધનીય છે કે, એફએટીએફ એ એક સંસ્થા છે જે વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ પર નજર રાખે છે. એફએટીએફ એ એક સરકારી સંસ્થા છે જે ગેરકાયદેસર ભંડોળ અને મની લોન્ડરિંગને રોકવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો પર કામ કરે છે. ડીપીએમએસ સેક્ટર માટે એક સૂચન પણ છે કે જો તેઓ ગ્રાહકની નિયત મર્યાદા (યુએસડી / યુરો 15,000) પર રોકડ વ્યવહાર કરે તો તેઓની ડ્યૂ ડિલિએન્સ (સીડીડી) શરતોને પૂરી કરવી પડશે. 2010 થી ભારત એફએટીએફનો સભ્ય પણ છે. 

New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
Exit mobile version