Site icon News Continuous Bureau | Mumbai

ટ્રેક્ટર પર સરકારે જાહેર કરી આ છૂટ.. જેનો અમલ થશે આગામી આ તારીખથી.. જાણો વિગતો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 ઓક્ટોબર 2020

કેન્દ્ર સરકાર એ ઉપકરણ, વાહનો અને ટ્રેક્ટરો માટે નવા ઉત્સર્જનના નિયમોની અમલની તારીખ આવતા વર્ષ સુધી લંબાવી દીધી છે. તે ક્રમશઃ એપ્રિલ 2021 અને ઓક્ટોબર 2021 કરી દેવામાં આવી છે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મંત્રાલયે સીએમવીઆર (CMVR) સંશોધનને 1989 માં નોટિફાઇડ કર્યા હતાં. જેમાં ટ્રેક્ટરો (TRIM stage – IV) માટે ઉત્સર્જન માપદંડોના અપડેટ વર્ઝન ને લાગુ કરવાની તારીખને આ વર્ષે ઓક્ટોબરથી હટાવીને આવતા વર્ષે ઓક્ટોબર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઈ અસર નહીં પડે, કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવનારી કંપનીઓ માટે છે.

 માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ સંબંધમાં કૃષિ મંત્રાલય, ટ્રેક્ટર બનાવતી કંપનીઓ અને કૃષિ સંઘો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નિર્માણ થવાના હોય એવાં ઉપકરણ, વાહનો માટે નવાં માપદંડોને લાગુ કરવા પર 6 મહિનાનો વધુ સમય આપવામાં આવે. સંશોધન મુજબ કૃષિ મશીનરી (કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર અને સંયુક્ત હાર્વેસ્ટર) અને નિર્માણ ઉપકરણ વાહનો માટે અલગ અલગ ઉસ્તર્જન માપદંડો સામેલ છે.

Stock Market। સેન્સેક્સમાં ૩૫૦ પોઈન્ટનો ઘટાડો રોકાણકારો માટે મુશ્કેલ સવાર, બજારની નબળી શરૂઆત
Stock Market Update| શેરબજારમાં જબરદસ્ત તેજી! સેન્સેક્સ ૩૯૦ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ૨૪,૪૦૦ ની પાર, જાણો કયા શેરોએ મચાવી ધૂમ
Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Exit mobile version