Site icon News Continuous Bureau | Mumbai

ટ્રેક્ટર પર સરકારે જાહેર કરી આ છૂટ.. જેનો અમલ થશે આગામી આ તારીખથી.. જાણો વિગતો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 ઓક્ટોબર 2020

કેન્દ્ર સરકાર એ ઉપકરણ, વાહનો અને ટ્રેક્ટરો માટે નવા ઉત્સર્જનના નિયમોની અમલની તારીખ આવતા વર્ષ સુધી લંબાવી દીધી છે. તે ક્રમશઃ એપ્રિલ 2021 અને ઓક્ટોબર 2021 કરી દેવામાં આવી છે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મંત્રાલયે સીએમવીઆર (CMVR) સંશોધનને 1989 માં નોટિફાઇડ કર્યા હતાં. જેમાં ટ્રેક્ટરો (TRIM stage – IV) માટે ઉત્સર્જન માપદંડોના અપડેટ વર્ઝન ને લાગુ કરવાની તારીખને આ વર્ષે ઓક્ટોબરથી હટાવીને આવતા વર્ષે ઓક્ટોબર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઈ અસર નહીં પડે, કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવનારી કંપનીઓ માટે છે.

 માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ સંબંધમાં કૃષિ મંત્રાલય, ટ્રેક્ટર બનાવતી કંપનીઓ અને કૃષિ સંઘો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નિર્માણ થવાના હોય એવાં ઉપકરણ, વાહનો માટે નવાં માપદંડોને લાગુ કરવા પર 6 મહિનાનો વધુ સમય આપવામાં આવે. સંશોધન મુજબ કૃષિ મશીનરી (કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર અને સંયુક્ત હાર્વેસ્ટર) અને નિર્માણ ઉપકરણ વાહનો માટે અલગ અલગ ઉસ્તર્જન માપદંડો સામેલ છે.

Home Loan Reality કેટલી EMI ચૂકી જવાથી ઘર લિલામ થઈ જાય? જાણો બેંકની કાર્યવાહીનો સાચો ક્રમ
Stock Market Rally યુદ્ધ ખતમ ? શેર બજારમાં તેજીનું તોફાન, સેન્સેક્સ 1700 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 10 લાખ કરોડનો વધારો
RBI Action on Directors રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી ઉસ્માનાબાદ જનતા બેંકના સાત સંચાલકોને પદ પરથી હટાવ્યા, સહકાર ક્ષેત્રમાં ખળભળાટ
Melody Toffee Share Price Surge ‘મલોડી’ ટોફીના કારણે આ શેરે કરી કમાલ, ૨૨ દિવસમાં રોકાણ થયું બમણું
Exit mobile version