Site icon News Continuous Bureau | Mumbai

GST Recovery : રાહતના સમાચાર, GST લેણાંની વસૂલાત માટે નવી જોગવાઈઓ; જાણો કેવી રીતે કરદાતાઓ આ પ્રક્રિયાને ટાળી શકે છે?

GST Recovery: સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (CBIC) એ GST લેણાંની વસૂલાત માટે નવી જોગવાઈઓ જારી કરી છે, જે કરદાતાઓ માટે રાહતના સમાચાર લાવ્યા છે. માહિતી અનુસાર, જ્યાં સુધી GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) સંપૂર્ણ રીતે કાર્યરત ન થઈ જાય ત્યાં સુધી આ જોગવાઈઓ અમલમાં રહેશે

GST Recovery News of relief, new provisions for recovery of GST dues; Know how taxpayers can avoid this process

GST Recovery News of relief, new provisions for recovery of GST dues; Know how taxpayers can avoid this process

 News Continuous Bureau | Mumbai

GST Recovery: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ( CBIC )એ જીએસટીની બાકી રકમની વસૂલાત માટે હવે નવી જોગવાઈઓ જારી કરી છે. જી.એસ.ટી. એપેલેટ ટ્રિબ્યુનલ કાર્યરત ન થાય ત્યાં સુધી આ જોગવાઈઓ અમલમાં છે. નવી જોગવાઈઓ જારી કરવાથી કરદાતાઓને હવે આ અનુકૂળ રહેશે..

Join Our WhatsApp Channel

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ જીએસટી લેણાં  માટે નવી જોગવાઈઓને લઈને ગુરુવારે એક સર્ક્યુલર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ( GSTAT  ) ( gst appellate tribunal ) કાર્યરત નહીં થાય ત્યાં સુધી આ જોગવાઈઓ કામ કરશે. હાલમાં કરદાતાઓ ટેક્સ રિકવરીની પ્રક્રિયા ટાળવા માટે તેમના ઇલેક્ટ્રોનિક લાયબિલિટી રજિસ્ટર દ્વારા પ્રી-ડિપોઝિટની રકમ ચૂકવી શકે છે અને અધિકારક્ષેત્ર અનુસાર યોગ્ય ઓથોરિટી પાસે બાંહેધરી ફાઇલ કરી શકે છે.

GST Recovery: કરદાતાઓ આ નવી સુવિધા હેઠળ ચૂકવણી કરી શકશે.

ટ્રિબ્યુનલ કાર્યરત થાય ત્યાં સુધી કરદાતાને ( taxpayer ) બિનજરૂરી વસૂલાત પ્રક્રિયાથી બચાવવા માટે સીબીઆઈસીએ આ પરિપત્ર જારી કર્યો છે. પરિપત્ર મુજબ, GST ( GST Tax ) ના કોમન પોર્ટલ પર ફોર્મ GST DRC-03 દ્વારા ચુકવણીને સમાયોજિત કરવાની નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી છે, જે પૂર્વ-થાપણ આવશ્યકતાઓ માટે છે.

આ સમાચાર પણ વાંચો :  Zarukho: બોરીવલીમાં યોજાયો ગોષ્ઠિ કાર્યક્રમ, ‘ઝરૂખો’માં આ બે નવલકથાઓ વિશે રસપ્રદ થઈ ચર્ચા..

કરદાતાઓ આ નવી સુવિધા હેઠળ ચૂકવણી કરી શકશે. તે પછી તેઓ સંબંધિત અધિકારીને ચુકવણીની માહિતી આપી શકે છે, જે રિકવરી પ્રક્રિયામાં વિલંબ કરશે. કરદાતાએ બાંયધરીપત્રમાં એ પણ જણાવવાનું રહેશે કે તે સંબંધિત બાકી હુકમ સામે એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરશે. GSTAT કાર્યરત થતાંની સાથે જ CGST એક્ટની કલમ 112 માં નિર્દિષ્ટ સમયની અંદર અપીલ દાખલ કરવામાં આવશે.

જૂન મહિનાની શરૂઆતમાં,કરદાતાઓને રાહત આપતી વખતે, સીબીઆઈસીએ કહ્યું હતું કે ટેક્સ સત્તાવાળાઓ ડિમાન્ડ ઓર્ડર પૂરા કરવાના ત્રણ મહિનાના સમય પહેલાં વસૂલાત પ્રક્રિયા શરૂ કરી શકતા નથી. ત્યારે સીબીઆઈસીએ કહ્યું હતું કે જો કરદાતા ડિમાન્ડ ઓર્ડર પૂરા કર્યાના ત્રણ મહિના પછી પણ બાકી રકમ ચૂકવતા નથી, તો ટેક્સ અધિકારી તે પછી જ વસૂલાત પ્રક્રિયા શરૂ કરી શકે છે.

Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ
Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
Exit mobile version